વર્ષો જૂની માંગણી બાદ ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો વ્યક્ત થયો છે અને રેલમંત્રીને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયા છે.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે ભાવનગર જિલ્લા માટે મહત્વાકાંક્ષી રેલમાર્ગ યોજના સંદર્ભે ધોલેરા સુધીની મંજૂરી મળતાં આભાર સાથે આનંદની લાગણી વ્યક્ત કરેલ છે. તેઓએ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભાવનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતથી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની વિશેષ સક્રિયતાથી મળેલ આ અહેવાલ મંજૂરી માટે અભિનંદન પાઠવ્યાં છે.
ભાવનગરથી ધોલેરાના આ રેલમાર્ગથી ભાવનગરમાં બંદર તેમજ અન્ય સંબંધિત વ્યાપાર ઉદ્યોગ તેમજ પ્રવાસન માટે વિશાળ તકો આવી રહ્યાંનું અને વર્ષોની માંગણી સાકાર થવા જઈ રહ્યાં અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ સાથે હોદ્દેદારો દ્વારા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયાં છે. ભાજપ હોદ્દેદારોએ આભાર સાથે રાજીપો વ્યક્ત કરેલ છે, તેમજ હજુ આપણાં વિસ્તારને બીજી રેલસુવિધાઓ આવી રહ્યાનો વિશ્વાસ હોવાનું ઉમેર્યું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel