આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળના યોજાનાર ચૂંટણી પગલે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત ભાજપ દ્વારા બાર બ્લોક પૈકી ચાર બ્લોક ઠાસરા બેઠક પર પ્રિયા કૃણાલસિહ પરમાર (મહિલા અનામત), બાલાસિનોર બેઠક પર રાજેશ પાઠક(વર્તમાન ડિરેક્ટર), નડિયાદ બેઠક પર વિપુલ પટેલ (અમૂલ ચેરમેન)તથા વિરપુર બેઠક પર શાભેસિહ પરમાર ની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel