click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે
Gujarat

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day)ની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગીધની સતત ઘટતી સંખ્યા વન વિભાગ અને પર્યાવરણવિદો માટે ચિંતાનો વિષય બની છે.

Last updated: 2025/09/06 at 3:05 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day)ની ઉજવણી થતી હોય છે, પરંતુ આ ઉજવણી ગીધની અતિશય ઘટતી વસ્તીને કારણે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. 2022માં યોજાયેલી ગીધ ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં 999 ગીધ જોવા મળ્યા હતા, જેમાંથી 84 ગીધ સુરેન્દ્રનગર જિલ્લામાં હતા. હવે તાજા અંદાજ મુજબ આ સંખ્યા ઘટીને માત્ર 32 થી 35 વચ્ચે સીમિત થઈ ગઈ છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં ગીધનું અસ્તિત્વ અહીંથી લુપ્ત થવાની કગાર પર પહોંચી શકે છે.

ગીધો કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. તેઓ મૃત પશુઓના અવશેષનો ભક્ષણ કરી પર્યાવરણને સ્વચ્છ રાખે છે અને જીવલેણ રોગચાળો ફેલાવતા જીવાણુઓનો નાશ કરે છે. છતાં, છેલ્લા બે દાયકામાં તેમની વસ્તીમાં 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ પશુઓમાં વપરાતી દવા ‘ડાયક્લોફેનાક સોડિયમ’ છે. આ દવા પશુઓને આપ્યા બાદ તેઓના મૃત્યુ પછી તેમનું માંસ ગીધોએ ખાધું તો તેના કારણે ગીધોના કિડની પર પ્રતિકૂળ અસર થતી હતી, જેના પરિણામે મોટા પાયે તેમની મૌત થઈ.

સુરેન્દ્રનગરના ઝાલાવાડ વિસ્તારમાં ગીધની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. અહીં કુલ 8માંથી 6 પ્રજાતિઓ નોંધાયેલી છે, જેમાં હિમાલયન ગ્રીફોન, યુરેશિયન ગ્રીફોન અને સિનિરીઅસ વલ્ચર જેવી યાયાવર (માઈગ્રેટરી) પ્રજાતિઓ છે, જે વર્ષમાં માત્ર બે મહિના માટે જ ગુજરાતમાં આવે છે. આ ઉપરાંત, સફેદ પીઠવાળો ગીધ, ઇજિપ્શિયન વલ્ચર અને અત્યંત દુર્લભ ગણાતો કિંગ વલ્ચર (રાજ ગીધ) પણ અહીં જોવા મળે છે. આ વિવિધતાને જાળવી રાખવી પર્યાવરણીય સંતુલન માટે અત્યંત જરૂરી છે.

ગીધોની સંખ્યામાં ઘટાડાનો એક અન્ય મોટો કારણ તેમનું રહેઠાણ ગુમાવવું છે. ગીધ સામાન્ય રીતે ઊંચા વૃક્ષો પર માળા બાંધે છે, પરંતુ શહેરીકરણ, ખેતી માટે જમીનનો બેહિસાબ ઉપયોગ અને વૃક્ષોના આડેધડ નિકંદનને કારણે તેમને યોગ્ય સ્થળો મળતા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ભારદ, અખિયાણા, પીપળી, રાજચરાડી અને મેથાણ જેવા ગામોમાં હજી પણ ગીધની વસાહતો જોવા મળે છે. વર્ષ 2016માં પાટડી તાલુકાના અખિયાણા ગામમાં 65 ગીધોની નોંધ લેવાઈ હતી, પરંતુ ત્યાર બાદ આ સંખ્યામાં સતત ઘટાડો થયો છે, જે ચેતવણીરૂપ છે.

સંરક્ષણ માટે વન વિભાગ અને પર્યાવરણવિદો સતત પ્રયાસ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યની ટીમ ગીધના માળા, તેમની સંખ્યા અને ખોરાકની ઉપલબ્ધતાની વિગતવાર માહિતી એકઠી કરી રહી છે. ઉપરાંત, સ્થાનિક ગામોમાં જઈને લોકજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી લોકો ગીધના મહત્ત્વને સમજી શકે. પર્યાવરણપ્રેમીઓ પણ સંસ્થાઓ સાથે મળીને ગીધોને બચાવવા માટે અલગ-અલગ પહેલ કરી રહ્યા છે.

ગીધનું અસ્તિત્વ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વપૂર્ણ છે. રામાયણમાં જટાયુ રૂપે ગીધનો ઉલ્લેખ થયો છે, જે સત્ય, શૌર્ય અને ત્યાગનું પ્રતિક છે. આથી ગીધને બચાવવું એ ભારતીય સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવાનું કાર્ય પણ છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં કુદરતના આ મહત્ત્વના સફાઈ કામદારને માત્ર પુસ્તકો અને કથાઓમાં જ જોવા મળશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

TAGGED: Breaking news, guajrti news, gujarat, gujarat cm, gujarati news, Jhalawar, latest news, Narendra Modi, news channel in india, oneindianews, Surendranagar, top news channel, topnews, topnewschannelinindia, World Vulture Day, ગીધ, ગુજરાત, ઝાલાવાડ, ભારત, વન વિભાગ, વિશ્વ ગીધ દિવસ, સુરેન્દ્રનગર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 6, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી
Next Article ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની ઓફર, કહ્યું- હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?