ઘાટલોડિયામાં યોગ દિવસ નિમિત્તે 108 સૂર્યનમસ્કાર સાથે ઊર્જામય ઉજવણી
અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઘાટલોડિયાના કૌટિલ્ય ગાર્ડન (કે.કે. નગર રોડ) ખાતે યોગ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને ઉજાગર કરતી ઉજવણી યોજાઈ. મોશન ઓન વ્હીલ્સ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 108 સૂર્યનમસ્કાર પૂરેપૂરા ઉર્જા અને સમર્પણથી કરવામાં આવ્યા.
આ કાર્યક્રમનો હેતુ – યોગના શારીરિક અને માનસિક લાભોને લોકો સુધી પહોંચાડવો અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરવો હતો.
સ્થાનિક નાગરિકો, યુવાનો અને વૃદ્ધોને ઉમંગભર્યા માહોલમાં યોગાભ્યાસ કર્યો, જેમાં પ્રાણાયામ અને ધ્યાન સત્રો પણ શામેલ હતા.
આવાં કાર્યક્રમો યોગને જીવનશૈલીમાં સ્થાન આપવા માટે ઉત્તમ પગલું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel