SSNNL ચેરમેન પુરીએ યોગને ટકાઉ જીવનશૈલી માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી
આઈકોનિક સ્થળ એસઓયુ ખાતે ઉપસ્થિત યોગપ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગ સંદેશને જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળ્યું
મેદસ્મિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગશિક્ષકોના માર્ગદર્શન હેઠળ સૌએ સામૂહિક યોગ કર્યા
એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરીસરમાં ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પૂરીએ યોગના વ્યકિતગત લાભો સાથે તેના સામૂહિક અને સામાજિક ફાયદાઓ ઉપર ભાર મૂકતા જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ કરવું એ આપણા માટે ગૌરવની વાત છે. યોગ માત્ર કસરત નહીં, પણ શરીર, મન અને આત્માની સમતુલા માટેનો માર્ગ છે. યોગ ભારતીય સંસ્કૃતિની ભેટ છે અને ટકાઉ જીવનશૈલી માટે આવશ્યક છે.
વધુમાં પુરીએ ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સાહેબની પ્રતિમાના પ્રેરણાદાયી સ્થાને અને માઁ નર્મદાના પાવન તટ પર યોગ કરવું એ આપણું ગૌરવ છે. વડાપ્રધાન એ યુનો દ્વારા વિશ્વમંચ પર યોગને સ્થાન અપાવ્યું અને ભારતીય સંસ્કૃતિ યોગને આજે સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહ્યો છે. કોરોના જેવી મહામારી બાદ લોકો યોગ અને આયુર્વેદ તરફ હવે પાછાં વળ્યા, જે આપણી પરંપરાની મહત્તા દર્શાવે છે. યોગ જીવનની દિનચર્યાના પ્રારંભનો અભિન્ન ભાગ બને તે માટે શ્રીપુરીએ સૌને અનુરોધ કર્યો હતો.
અંતે પૂરીએ કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને તેને હરિયાળું બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં યોગ કરીને વિશ્વને યોગ સાથે એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. યોગને જીવનમાં આત્મસાત કરવા પુરે સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સેન્ટ્રલ મિનિસ્ટ્રીના એડિશનલ સેક્રેટરી રામ શંકર સિન્હાએ જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના અનુલક્ષીને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગીદારી નોંધાવી છે. યોગ એ માનવીના જીવનનો મહત્વનો ભાગ છે, તે માટે યોગને અપનાવવા રામ શંકર સિન્હાએ સૌને અનુરોધ કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપસ્થિત તમામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશાખાપટ્ટનમથી જીવંત પ્રસારણની ઝલક નિહાળીને તેમના દ્વારા યોગના મહત્વ અને તેના લાભો અંગે મળેલ માર્ગદર્શનનો લાભ લીધો હતો.
આઇકોનિક પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મેદસ્મિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ સામૂહિક યોગ કર્યો હતો. આ વર્ષે યોગ દિવસનની થીમ “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ” હતી. જેનો આશય માનવ અને પર્યાવરણના સમન્વય અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા SoUADTGAના સંયુક્ત ઉપક્રમે એકતાનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર ગોપાલ બામણીયા, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક સાહુ, નાયબ કલેકટર ડૉ. પંકજ વલવાઇ, અભિષેક સિન્હા,નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી રિયાઝ સરવૈયા, પોલીસ, CISF, ફાયર વિભાગના જવાનો, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિ સહિત એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel