તીર્થસ્થાન હરિદ્વારમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા ગંગામૈયાનાં તટ પર આયોજન થયેલ છે.
શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તીર્થસ્થાન હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ મળનાર છે.
ગંગામૈયાનાં તટ પર શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા થયેલ આયોજન મુજબ ભાગવત કથા પ્રારંભ શુક્રવાર તા. ૨.૫.૨૦૨૫નાં થશે અને વિરામ ગુરુવાર તા. ૮.૫.૨૦૨૫નાં થશે. કથામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈને કથામૃત સાથે ગંગા સ્નાન અને તીર્થ દર્શન લાભ લેનાર છે.