શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સર્વજીવ હિતાવહ” ના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી શ્રી ડૉ સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી મોગરીના તુષારભાઈ પટેલ ના યજમાનપદે તા ૧૩ એપ્રિલને રવિવારના રોજ ૧૫ હજાર ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અનેક વિષે સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે. શિયાળામાં ફૂટપાથ પર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળામાં આકાશમાંથી વરસતી ગરમીમાં ઉપાડા પગે ચાલતા લોકોને ગરમીથી રાહત મળે તે માટે ૧૫ હજાર ઉપરાંત ચંપલજોડીનું વિતરણકરવામાં આવ્યું હતું ભગવાન શ્રી હરિના “સર્વ જીવ હિતાવહ “સંદેશ ને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિઃશુલ્ક શ્રી સ્વામિના૨ાયણ મલ્ટીસ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ ચચાલે છે આ ઉપરાંત ખંભાતમાં આય (આંખની) જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે. તારીખ ૧૩ એપ્રિલ રવિવાર રોજ વડતાલધામના ૨૦૦ ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ (ચરોતર) ના જુદી જુદી ૪૫ રૂટો નક્કી કરી ૨૫૦ ઉપરાંત સામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્રનારાયણોને ૧૫ હજાર ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું, સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂ. ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી તથા પુ. શ્યામવલ્લભદાસજી સ્વામી ની પ્રેરણાથી કરવામાં આવી હતી.