click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પોરબંદરમાં સ્વયંભૂ શિવલિંગ સર્જાય! ભગવાન શ્રીકૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ મોજુદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પોરબંદરમાં સ્વયંભૂ શિવલિંગ સર્જાય! ભગવાન શ્રીકૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ મોજુદ
Gujarat

પોરબંદરમાં સ્વયંભૂ શિવલિંગ સર્જાય! ભગવાન શ્રીકૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ મોજુદ

પોરબંદરમાં એક એવી જગ્યા આવેલી છે, જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજેય મોજુદ છે. પોરબંદરની આ જગ્યા જાંબુવંતીની ગુફા તરીકે ઓળખાય છે.

Last updated: 2025/05/12 at 10:48 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાતો કૃષ્ણની વ્યૂહરચના પણ કારણભૂત ગણાવે છે. પરંતુ જે હોય તે ગુજરાતની ધરા પર રહીને કૃષ્ણે તેને પવિત્ર કરી છે. ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે, જ્યાં કૃષ્ણ ફર્યા હોવાની, કૃષ્ણની લીલાઓ થઈ છે. આમ તો કૃષ્ણ દ્વારકામાં રહ્યા, પરંતુ દ્વારકાથી લઈ સોમનાથ અને પોરબંદર સુધી તેમની હાજરી વર્તાય છે. પોરબંદરમાં એક એવી જગ્યા આવેલી છે, જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજેય મોજુદ છે. પોરબંદરની આ જગ્યા જાંબુવંતીની ગુફા તરીકે ઓળખાય છે. અહીં ગુફામાંની માટી માં પણ સોનાનો ભાગ જોવા મળે છે. આમ તો જાંબુવતીની ગુફા, અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે. એ પણ એક કે બે નહીં સેંકડો. ગુફાની છતમાંથી ટપકતાં પાણીથી જમીન પર શિવલિંગ બને છે. આ સ્વયંભૂ શિવલિંગના દર્શને વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

Contents
પાણીથી સ્વયંભૂ શિવલિંગ સર્જાય છેગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું

પાણીથી સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે

હજારો વર્ષોથી ટપકી રહેલા પાણીથી સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે. જાંબુવંતીની ગુફા સિવાય બરડા ડુંગરમાં આલોચ અને ગોપ ડુંગરમાં પણ શિવલિંગ જોવા મળે છે. શ્રદ્ધાળુઓ તેને ચમત્કાર માને છે. એક લોકવાયકા એવી છે કે આ ગુફાનો એક રસ્તો કૃષ્ણની નગરી દ્વારકા અને બીજો રસ્તો જૂનાગઢ તરફ જાય છે. ગુફામાં એક સફેદ નાગ રહેતો હોવાની અને તેની પાસે મણિ હોવાની પણ માન્યતા છે. અહિં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ ગુફામાં આવીને શાંતિનો અહેસાસ કરી ધન્યતા અનુભવે છે. લોક માન્યતા એવી પણ છે કે યાદવોના આગેવાન સત્રજીતને સૂર્યદેવે સ્યામંતક મણિ આપ્યો હતો. કહેવાય છે કે આ મણિ રોજ 8 ભાર સોનુ આપતો. સત્રજીતે તેને પૂજાસ્થાને મૂક્યો હતો. જેનાથી તેની સંપત્તિ સમૃદ્ધિ વધવા લાગી. એકવાર સત્રજીતનો ભાઈ પ્રસેન પૂછ્યા વગર મણિ લઈને શિકાર કરવા ગયો. જ્યાં સિંહે તેનો શિકાર કર્યો, અને મણિ સિંહના પેટમાં પહોંચી ગયો. આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવને કર્યો એટલે મણિ જાંબુવન પાસે પહોંચ્યો. બીજી તરફ સત્રજીતે મણિ ખોવાતા શ્રીકૃષ્ણ પર આરોપ મૂક્યો એટલે ભગવાન કૃષ્ણએ મણિ ચોરવાની આળ હટાવવા મણિ શોધવાની શરૂઆત કરતા તેમને ખબર મળી કે આ મણિ જાંબુવન પાસે છે.

ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું

શ્રીકૃષ્ણ જાંબુવનને શોધતા શોધતા આ ગુફા સુધી આવ્યા. આ ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું. ન તો કોઈ હાર્યું, ન તો કોઈ જીત્યું. પરંતુ આખરે જાંબુવને ભગવાન શ્રીકૃષ્ણથી પ્રભાવિત થઈને સામંત્યક મણિ તેમને સોંપી દીધો, સાથે પોતાની પુત્રી જાંબુવતીને પણ કૃષ્ણ સાથે પરણાવી. અહિં ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબુવંતીનું પણ મંદિર આવેલું છે. લોકો ગુફાની મુલાકાત લઈને શ્રીકૃષ્ણ અને જાંબુવંતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જાંબુવંતીની ગુફામાં દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે. આ જ સ્થળ પર રામેશ્વર બાપુની સમાધિ આવેલી છે. રામેશ્વર બાપુને ઘડિયાળ અતિ પ્રિય હતી અને બાપુ સમયને ખૂબ મહત્વ આપતા હતા. બાપુની સમાધી પાસે દિવાલ પર ઘણી બધી ઘડીયાળો લગાવેલી છે તે ઘડીયાળ જોઈ લોકોને અચરજ થાય છે. દિવાલ પર લગાવવામાં આવેલી ઘડીયાળો લોકોની માનેલી માનતા પૂર્ણ થાય તેમણે ચડાવેલી છે. પોરબંદરના રાણાવાવ નજીક આવેલી આ ગુફા પ્રવાસન વર્ષ સમયે વિક્સાવવામાં આવી છે. અંધારી ગુફામાં લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ સ્થળ સુધી પહોંચવા રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. આસપાસના સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પરિણામે જાંબુવંતીની ગુફા હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહી છે.

You Might Also Like

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત, બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો

S-400 અને આયર્ન ડોમ નહીં આ છે વિશ્વની સૌથી બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ, આ બે દેશ કરે છે તેનો ઉપયોગ

કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો

આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ

TAGGED: Dev Darshan, gujarti news, oneindianews, Porbandar Swayambhu Shivling, Self-made Shivlinga from water, Sri Krishna Jambuvan, Swayambhu Shivling, topnews, પોરબંદર, સ્વયંભૂ શિવલિંગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
Next Article પાકિસ્તાન પર સતત બાજ નજર રાખી રહ્યાં છે ISROના આ 10 સેટેલાઇટ્સ, જાણો મુખ્ય કાર્ય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત, બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો
Gujarat મે 12, 2025
S-400 અને આયર્ન ડોમ નહીં આ છે વિશ્વની સૌથી બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ, આ બે દેશ કરે છે તેનો ઉપયોગ
Gujarat મે 12, 2025
કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
Gujarat મે 12, 2025
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
Gujarat મે 12, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?