ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું.
ગુરુ રવિદાસ મહારાજ ૬૫૦મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન યોજાયેલ છે, જેમાં ગામે ગામના કાર્યકર્તાઓ જોડાયેલ છે. આ સંદર્ભે ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે સંતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો.
સિહોરમાં યોજાયેલાં આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય અને ધર્માચાર્ય શંભુનાથજી ટૂંડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સ્વામી શ્યામદાસજીબાપુએ ઉદબોધન કરેલ અને મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં તત્કાલીન સમાજ પરિસ્થિતિ તેમજ વર્તમાનમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું.
આ સમારોહમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાઘવા, નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ અને સંતો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કળશ વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ પ્રારંભે રાજુભાઈ બાબરિયાએ સ્વાગત ઉદબોધન કર્યું, જ્યારે આભાર વિધિ રવિભાઈ બારૈયાએ કરી. સંચાલનમાં ગેમાભાઈ ડાંગર રહ્યાં. ગોપાલભાઈ વાઘેલા સાથે સિહોર શહેર ભાજપ હોદ્દેદારો સંકલનમાં રહ્યાં અને ગામે ગામ કાર્યકર્તાઓ દ્વારા કળશ યાત્રા માટે પ્રસ્થાન થયેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel