સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ સત્સંગ હોલ ખાતે ખેડા જિલ્લાના તમામ મંડળો માટે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના કુલ 21 મંડળોને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લાના ધારાસભ્યો, મહાનગરપાલિકા મેયર, ડેપ્યુટી મેયર તેમજ કારોબારી ચેરમેન સહિતના આગેવાનોના હસ્તે કળશનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નડિયાદ, વસો, મહેમદાબાદ, મહુધા, કપડવંજ, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર સહિતના વિવિધ તાલુકા અને શહેરની મંડળીઓને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંત શિરોમણી મહાત્મા રવિદાસજીના સમરસતા, સમાનતા અને સામાજિક એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel