વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ગઈકાલે રાજ્યમાં ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાને સંબોધ્યા બાદ, આજે પણ તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજભવનથી શરૂ થયેલો આ રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4 અને ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયો હતો.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi holds a roadshow in Gandhinagar.
PM Modi is on a two-day visit to Gujarat; Today, the Prime Minister will participate in the celebrations of 20 years of Gujarat Urban Growth Story and lay the foundation stone of various… pic.twitter.com/xC33JakLzi
— ANI (@ANI) May 27, 2025
તિરંગા અને ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો સાથે ઉષ્માભર્યું સ્વાગત
આ રોડ શોમાં વડા પ્રધાનની એક ઝલક જોવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા, હાથમાં તિરંગા અને ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો સાથે લોકોએ વડા પ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ખુલ્લી જીપમાં વડા પ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
#WATCH | People shower flower petals as Prime Minister Narendra Modi holds a roadshow in Gandhinagar, Gujarat. Union Minister CR Patil and CM Bhupendra Patel also present.
PM Modi is on a two-day visit to Gujarat; Today, the Prime Minister will participate in the celebrations of… pic.twitter.com/AMq3HNK045
— ANI (@ANI) May 27, 2025
અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
રોડ શો પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન મહાત્મા મંદિર પહોંચ્યા હતા, જ્યાં કેબિનેટ પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત, સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કરવામાં કરવાના છે.
#WATCH | Gujarat: Prime Mininster Narendra Modi participates in the celebrations of 20 years of Gujarat Urban Growth Story and launches Urban Development Year 2025, in Gandhinagar. pic.twitter.com/IXCAlpqR3v
— ANI (@ANI) May 27, 2025
શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાને ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નો પણ સમાવેશ થાય છે. રોડ અને બિલ્ડીંગ વિભાગ તેમજ જળ સંસાધન વિભાગ હેઠળ ₹2000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં બનાસકાંઠામાં થરાદ ધાનેરા અને દિયોદર લાખણી પાઇપલાઇન યોજનાઓ મુખ્ય છે.