નડિયાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ બાબતે નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા અને મનપા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની સહ અધ્યક્ષતામાં પ્રાંત કચેરી નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમના સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ.
આ પ્રસંગે પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયાએ કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ જેમ કે સફાઈ, પીવાનુ પાણી, મેડિકલ ટીમ, વીજ પુરવઠો, કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વગેરે બાબતો અને સંભવિત વરસાદને લઈ આવશ્યક તૈયારીઓની સમીક્ષા કરી હતી. તથા આ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં કાર્યક્રમના નોડલ, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીના અધિકારી અક્ષય મકવાણા, પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા, રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ અને રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયા, આર & બી ઈલેક્ટ્રિકલ વિભાગના અધિકારી અવની પરમાર સહિત આરોગ્ય, શિક્ષણ, એમજીવીસીએલ અને પાણી પુરવઠાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.