નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ નગરજનોને મનપા તંત્ર પાસે વિકાસની અપેક્ષા હતી. પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનતાની સાથે જ મુશ્કેલીનો ઓછી તો નથી થઈ પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે.
નવસારીના છાપરા રોડની કામગીરી છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે પણ કામગીરી ગોકળગતિએ કરવામાં આવતા સામાન્ય નાગરિકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. છાપરા રોડ પરની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના પર ડામર પાથરવામાં આવ્યો હતો. જેના પર વરસાદ પડતાની સાથે જ ઠેરઠેર ખાડા જોવા મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ રોડ બેસી જવા પામ્યા છે. જેના પરથી કામગીરી કેટલી નક્કર કરવામાં આવી છે તે જાણી શકાય છે. વધુમાં જમલપોર રોડ પર કરવામાં આવી રહેલ કામગીરીને કારણે રોડ પર કિચ્ચડનું સામ્રાજ્ય વધ્યું છે અને વાહન ચાલકોને તકલીફ થઈ રહી છે. તેમ છતાં પણ મનપાના પેટનું પાણી હલી નથી રહ્યું. અધિકારીઓ પોતાની ઓફિસની બહાર નીકળીને નાગરિકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ક્યારે લાવશે તે હવે જોવું રહ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel