ઈઝરાયલ અને સીરિયા વચ્ચે તણાવ ફરી એક વખત ભડક્યો છે, જેમાં બુધવાર 16 જુલાઈ, 2025ના રોજ ઈઝરાયલ દ્વારા સીરિયાની રાજધાની દમિશ્ક અને દક્ષિણ સીરિયાના સ્વેદા વિસ્તારમાં ભારે હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ હુમલાઓને પગલે ક્ષેત્રમાં ગંભીર ઓપોલિટિકલ અસરો ઉભી થઈ છે. ઇઝરાયલી રક્ષા દળો (IDF) દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, આ હુમલાઓનું લક્ષ્ય સીરિયાઈ સૈન્યના વાહનો, આર્મર્ડ ગાડીઓ, મશીનગનોથી સજ્જ પિકઅપ ટ્રક્સ, સૈન્ય ચોકીઓ, શસ્ત્ર ડેપો અને વ્યૂહાત્મક સ્થળો પર હતું. IDFએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આ તબક્કાવાર હુમલાઓ સ્પષ્ટપણે દેખાય છે.
મહત્વનું છે કે, સ્વેદા શહેર ડ્રુઝ સમુદાયનો ગઢ માનવામાં આવે છે અને હાલમાં ત્યાં સરકાર વિરોધી પ્રદર્શન તેમજ આંતરિક અથડામણો ચાલી રહી છે. ઇઝરાયલનો આરોપ છે કે ઈરાનપંથી જૂથો આ વિસ્તારોમાં સક્રિય છે અને એના કારણે તે સતત હુમલાઓ કરે છે. બીજી તરફ, સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા એ સમગ્ર ઘટનાક્રમ અંગે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે ઇઝરાયલ પર આરોપ મૂક્યો છે કે તે સીરિયામાં સાંપ્રદાયિક વિભાજન ઉભું કરવાની કોશિશ કરે છે અને ડ્રુઝ સમુદાયને નિશાન બનાવી રહ્યો છે. અલ-શરાએ જણાવ્યું કે, “અમે યુદ્ધથી ડરતા નથી, અમે જીવનભર પડકારો સામે લડીને આવ્યા છીએ.”
તેમાં તેઓએ વધુમાં જણાવ્યું કે, “ડ્રુઝ અમારા દેશની આત્મા છે. તેમના હિતોની રક્ષા કરવી અમારી ફરજ છે.” તેમણે ચેતવણી આપી કે એક મોરચે મળેલી સફળતા એનો અર્થ એ નથી કે દરેક મોરચે પણ વિજય મળશે. તેમણે અમેરિકાની, અરબ દેશોની અને તુર્કીની મધ્યસ્થતાની પ્રશંસા કરતા કહ્યું કે તેમની ભાગીદારીના કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં રહી છે.
આ સમગ્ર પરિસ્થિતિમાંથી સ્પષ્ટ થાય છે કે મિડલ ઈસ્ટમાં તણાવનું સ્તર ઘટવાને બદલે સતત વધી રહ્યું છે, ખાસ કરીને જ્યારે ઈઝરાયલ-સીરિયા સંબંધો, ઇરાનપંથી જૂથોની હાજરી, અને આંતરિક રાજકીય અસંતોષ સાથે સંકળાયેલ છે. આગામી સમયમાં આ ઘર્ષણ અને વિશ્લેષણયુક્ત રાજકારણને કારણે સમગ્ર ક્ષેત્ર વધુ અસતિર બની શકે છે.