શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે.
સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ એટલે આગામી રવિવારે શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ અને આસ્થા સાથે રવિવાર તા.૨ના તુલસી વિવાહનું આયોજન થયેલ છે.
વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં આ પર્વ ઉજવણી થશે, જે મુજબ રવિવારે સવારે ૮ કલાકે મંડપ મુહૂર્ત અને સાંજે ૬ કલાકે વિવાહ વિધિ રાખેલ છે. આ સાથે ભોજન પ્રસાદ યોજાશે.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel