નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સંકલ્પ પત્ર દ્વારા પાર્ટીએ નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ માટેના રોડમેપ અને પ્રાથમિકતાઓને જનતા સમક્ષ રજૂ કર્યા હતા. શહેરની આધુનિક સુવિધાઓ, આંતરમાળખાકીય વિકાસ અને જનસુખાકારીના કાર્યોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા છે.
આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં ચૂંટણીમય માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડતા ઉમેદવારોને ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું હતું.
સંકલ્પ પત્રના વિમોચન સાથે જ ભાજપે ચૂંટણી પ્રચારને ગતિ આપતાં પોતાના વિકાસ એજન્ડાને લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કરી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel