પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ “ઓપરેશન સિંદૂર” દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કરતાં દેશનાં સશસ્ત્ર દળોના જવાનોનાં સન્માનમાં રાષ્ટ્રભાવના સાથે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું નડિયાદમાં આયોજન કરવામાં આવ્યું હતું.
નડિયાદમાં સંતરામ મંદિરથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું, આ તિરંગા યાત્રામાં વિવિધ સંપ્રદાયના સંતો મહંતો,પૂર્વ તથા વર્તમાન આર્મીના જવાનો, નડિયાદના સામાજિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ વેપારી એસોસિએશનો, સિનિયર સિટીઝનો, મહિલાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્ર ભાવના સાથે સતત ભારત માતા કી જયનો જયઘોષ કરતા સહભાગી બન્યા હતા.