છ દાયકાઓ સુધી ભારતીય વાયુસેનામાં સેવા આપ્યા બાદ મિગ-21 લડાકુ વિમાન હવે નિવૃત્ત થવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાનું આ ઇતિહાસિક ફાઈટર જેટ સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ ચંડીગઢ એરબેઝ પરથી વિદાય લેશે. 1963માં વાયુસેનામાં સામેલ થયેલું મિગ-21 ભારતનું સૌપ્રથમ સુપરસોનિક ફાઈટર જેટ હતું અને તેણે દેશની સુરક્ષા માટે ઘણા નિર્ણાયક યુદ્ધો અને ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1965 અને 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધો, 1999ના કારગિલ યુદ્ધ ઉપરાંત 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈક અને તાજેતરના ઑપરેશન સિંદૂરમાં પણ તેનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે.
હાલમાં મિગ-21ની અંતિમ સ્ક્વોડ્રન રાજસ્થાનના નલ એરબેઝ ખાતે તહેનાત છે, જ્યાં હવે તેને સ્થાન લઈ શકે તેવા અત્યાધુનિક અને સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ ‘તેજસ’ તહેનાત કરવામાં આવશે. વાયુસેનાને 2026ના માર્ચ સુધીમાં 6 નવા તેજસ ફાઈટર જેટ મળી જશે, જે ભારતીય ડિફેન્સ ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે.
મિગ-21 ભારત સહિત દુનિયાના 60થી વધુ દેશોમાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી મિગ-21ની સાફ્ટી રેકોર્ડ પર પ્રશ્નો ઊઠતા રહ્યાં છે, ખાસ કરીને તેનાથી થતા અકસ્માતો અને પાયલટના જાનહાનિના કારણે. આથી હવે તેને પાત્ર વિદાય આપી નવી પેઢીનાં વિમાનો સાથે વાયુસેનાને વધુ સજ્જ બનાવવાનું પગલું લેવામાં આવ્યું છે.