અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. દેશભરમાં પ્લેનમાં સવાર લોકોની સુરક્ષાને લઈને પ્રાર્થના કરવામાં આવી રહી છે. પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની 8 મિનિટમાં શું થયું અને કયા કારણે પાયલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો એના વિશે જાણીએ.
8 મિનિટમાં શું થયું?
એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન 11 વર્ષ જૂન છે. ગુરુવારે (12 જૂન)ની બપોરે 1:30 ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેકઑફ થઈ ચૂક્યું હતું. ટેકઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતું. જેમાં પ્લેનની ઊંડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનની ઊભી ગતિ જોઈએ તો, પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટ પણ નહોતો.
નિષ્ણાતો કહે છે કે, આ વિમાન લગભગ 625 ફૂટ ઉપર હતું, જો તે 35000 ફૂટની ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને પરિસ્થિતિને સંભાળવા માટે વધુ સમય મળ્યો હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. વિમાનમાં લગભગ 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ અકસ્માતમાં પાયલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો હતો.
એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહએ કહ્યું કે, ‘મને લાગે છે કે, લોડ ફેક્ટરમાં મીસ-કેલ્ક્યુશન થયું હશે. આ સિવાય લેન્ડિંગ ગેર વ્યવસ્થિત બંધ થયો નહીં હોય. કારણને એક પ્લેનનું એકે પૈડું બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળે છે. જેથી સમજી શકા કે, આ અકસ્માત પ્લેનમાં સંતુલનની સમસ્યાને કારણે થયો હશે. જોકે, આ મામલે સંપૂર્ણ તપાસ પછી જ કંઈક કહી શકાય.’