પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો અને તેને વાહિયાત ગણાવ્યું.
Our response to media queries on renaming places in Arunachal Pradesh by China (May 14, 2025)
🔗 https://t.co/5XtzF8ImUJ pic.twitter.com/1edyuqRpog
— Randhir Jaiswal (@MEAIndia) May 14, 2025
ભારતે ચીનના નામ બદલવાના પ્રયત્નો નકાર્યા, અરુણાચલને ભારતનો અભિન્ન ભાગ ગણાવ્યો
ભારતે બુધવારે સ્પષ્ટ રીતે ચીનના અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના પ્રયાસોને નકાર્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા વાહિયાત અને અવાસ્તવિક પ્રયાસો જમીન પરની હકીકતને બદલાવી શકતા નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું:
“અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. નામ બદલી દેવાથી હકીકત બદલાતી નથી.”
ચીન વર્ષો સુધી દાવો કરતું રહ્યું છે કે અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે, અને સમયાંતરે તે ત્યાંના સ્થળોના ચિની નામ જાહેર કરતું રહ્યું છે. જોકે, ભારતે દરેક વખતએ આ પ્રકારની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓનો સખત વિરોધ નોંધાવ્યો છે.
નામ બદલાવનનો પ્રયત્ન વ્યર્થ અને વાહિયાત: MEA
ભારતે ઉપરોક્ત ટિપ્પણી ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળો માટે નવા નામોની જાહેરાત પર કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે જોયું છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોના નામ બદલવાનો વ્યર્થ અને વાહિયાત પ્રયાસ કર્યો છે.”
તેમણે વધુમાં કહ્યું, “અમે અમારા સિદ્ધાંતના વલણ અનુસાર આવા પ્રયાસોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ.” આ મુદ્દા પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં રણધીર જયસ્વાલે કહ્યું, “રચનાત્મક નામકરણ એ નિર્વિવાદ વાસ્તવિકતાને બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે.”
અરુણાચલ પ્રદેશને માને છે પોતાનો ભાગ
જોકે, ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો ડોયવો કરતું રહે છે અને તેને ઓપટનો ભાગ માને છે. આ કરુણાચલના લોકોને ચીન આવવા માટે વિઝા પણ નથી આપતું, તેનું કહેવું છે કે તે ચીનનો ભાગ છે, એવામાં તેમને વિઝાની જરૂર નથી. ગત વર્ષે પણ ચીને અરુણાચલના અલગ-અલગ સ્થળોના 30 નવા નામનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેને ત્યારે ભારતે નકારી દીધું હતું.