ભારતીય અવકાશ યાત્રા ઈતિહાસમાં એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેરતી ઘટના બની છે, જ્યાં ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસ સુધી સફળ વૈજ્ઞાનિક સંશોધનો પૂર્ણ કર્યા પછી પૃથ્વી પર પરત આવવા રવાના થવા જઈ રહ્યા છે. તેઓ નાસા અને એક્સિઓમ સ્પેસના સંયુક્ત વ્યવસાયિક મિશન એક્સિઓમ-4 (Axiom-4)નો ભાગ હતા. આ મિશનમાં તેઓ પાયલોટ તરીકે જોડાયા હતા અને તેઓ રાકેશ શર્મા પછી અવકાશમાં પહોંચનારા બીજા ભારતીય બન્યા છે. આ ટુકડીમાં કુલ ચાર અવકાશ યાત્રીઓ હતા – કમાન્ડર પેગી વ્હિટસન, પાયલોટ શુભાંશુ શુક્લા, ટિબોર કાપુ અને પોલેન્ડના મિશન સ્પેશિયાલિસ્ટ સ્લાવોઝ ઉઝનાન્સ્કી વિસ્નિએવ્સ્કી.
Group Captain Shukla, along Ax-4 crew, to undock from ISS today; splashdown tomorrow
Read @ANI Story | https://t.co/lb1n9FahMr#Axiom4Mission #ShubhanshuShukla #ISS pic.twitter.com/gkWq8kAfRm
— ANI Digital (@ani_digital) July 14, 2025
અંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી વિદાયનો સમય સોમવાર 14 જુલાઈ સવારે 7:05 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જ્યારે પૃથ્વી પર સ્પ્લેશડાઉન 15 જુલાઈ, મંગળવારે બપોરે 3:00 વાગ્યે કેલિફોર્નિયા તટ નજીક થવાની શક્યતા છે. મિશન સંચાલકો તરફથી મિશનને લીલી ઝંડી મળ્યા પછી, તેઓ ISS પરથી અનડોક થવાની તૈયારીમાં છે. ઉપગ્રહમાં રહેલા તેમના સમયગાળા દરમિયાન તેમને વૈજ્ઞાનિક સંશોધનો માટે પૂરતો સમય આપવામા આવ્યો હતો અને તેમણે કેટલીક મહત્વની અનુસંધાન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો – જેમાં અવકાશમાં માનવ શરીર પર પડતી અસર, સ્વાસ્થ્ય સંભાળ ટેકનોલોજી, માઇક્રોગ્રેવિટી તત્વો, અને જીવવિજ્ઞાન સંબંધિત વિશ્લેષણોનો સમાવેશ થાય છે.
વિદાય પહેલા ISS પર રવિવારે સાંજે તેમના સન્માનમાં એક વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે અવકાશમાં રિહાઈડ્રેટેડ ‘ઝિંગા કોકટેલ’ પીરસવામાં આવી અને મુખ્ય ભોજન તરીકે ચિકન અને બીફ ફજિતા, તેમજ વિવિધ અવકાશ યાત્રીઓ માટે તેમના સ્થાનિક વાનગીઓ પણ રેડી કરવામાં આવી. શુભાંશુ શુક્લાએ ખાસ ભારતીય રસ અને ગાજરના હલવાનો સ્વાદ માણ્યો હતો, જ્યારે પોલિશ યાત્રીએ કોબી અને મશરૂમ્સ તેમજ અખરોટની કેક જેવી વાનગીઓનો આનંદ માણ્યો.
ISS પર હાલ કુલ 11 અવકાશ યાત્રીઓ છે, જેમાંથી 7 એક્સપેડિશન 73ના ભાગરૂપે છે, જ્યારે 4 એ એક્સિઓમ-4 વ્યાવસાયિક મિશનના છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે એક્સ (પૂર્વે ટ્વિટર) પર માહિતી આપીને જણાવ્યું હતું કે અનડોકિંગ સમય સાંજે 4:30 વાગ્યે થશે અને સ્પ્લેશડાઉન માટે લગભગ 1 કલાકની માર્જિન વિન્ડો રાખવામાં આવી છે, જેથી હવામાન કે તકનીકી તાકીદમાં પરિવર્તન કરી શકાય.
અંતે, પૃથ્વી પર પરત આવ્યા બાદ, શુભાંશુ શુક્લા અને અન્ય યાત્રીઓને અવકાશથી પાછા ફર્યા પછી ગુરુત્વાકર્ષણ સાથે અનુરૂપ થવા માટે ખાસ રીતે ડિઝાઇન કરાયેલા રિહેબિલિટેશન સેન્ટરમાં સાત દિવસ સુધી રાખવામાં આવશે, જ્યાં તેમનું દૈનિક શારીરિક અને માનસિક મૂલ્યાંકન, મસલ ટેનસન, સંતુલન અને હાડકાંની તંદુરસ્તી સંબંધિત અવલોકન કરવામાં આવશે. શુભાંશુ શુક્લાની આ સિદ્ધિ માત્ર ભારત માટે જ નહીં, પણ વૈશ્વિક અવકાશ સંશોધન ક્ષેત્રે પણ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.