જન્માષ્ટમી પર્વે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં વતન હણોલમાં રક્તદાન શિબિર યોજાઈ ગઈ, જેમાં અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો જોડાયાં.
પાલિતાણા પાસેનાં હણોલ ગામે જન્માષ્ટમી પર્વે વિવિધ આયોજનો સાથે રેડક્રોસ સંસ્થા ભાવનગરનાં સંકલન સાથે રક્તદાન શિબિર યોજાઈ ગઈ.
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં તેમનાં વતન હણોલમાં આ રક્તદાન શિબિર યોજાઈ ગઈ, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ સામેલ થયેલ. આ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ સાથે અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો જોડાયાં હતાં.