શાળાઓમાંથી દર વર્ષે બાળકોને પ્રવાસે લઈ જવામાં આવતા હોય છે. ઘણી વખત પ્રવાસ દરમિયાન મોટી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. વડોદરા, સાપુતાર અને જૂનાગઢમાં અનેક વખત આવી દુર્ઘટના ઘટેલી છે. જેના કારણે હવે સરકાર દ્વારા શાળાઓમાંથી થતા પ્રવાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરે છે, તેમને પોલીસના કર્મચારીને સાથે રાખવાના નિયમોનું પાલન કરવાનું રહેશે. શાળાના શૈક્ષણિક પ્રવાસ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગની મંજૂરી લેવાની જ હોય છે પરંતુ સાથે સાથે હવે પોલીસની પણ મંજૂરી લેવાની રહેશે.
શાળાઓએ પોતાના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીએ સાથે રહેશે. એટલું જ નહીં, પરંતુ શાળાએ પોલીસ સ્ટેશનને પ્રવાસ અંગે જાણ પણ કરવાની રહેશે. જો આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થિનીઓ જવાની હોઈ તો મહિલા પોલીસ કર્મચારી પણ સાથે રહેશે. જેથી પ્રવાસ દરમિયાન કોઈ બાળકોની સંભાળ રાખી શકાય.