વિશ્વ સિંહ દિવસ ઉજવણી ભાવનગર જિલ્લામાં ઉત્સાહ સાથે થવાની છે, જે સંદર્ભે યોજાયેલ બેઠક યોજાઈ ગઈ. નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈએ વિગતો આપતાં જણાવ્યું કે, સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી થઈ રહી છે.
સમગ્ર વિશ્વ માટે આપણાં સાવજ માટે આકર્ષણ રહ્યું છે, જે આપણાં માટે ગૌરવની બાબત છે. આગામી ૧૦ ઓગષ્ટ ‘સિંહ દિવસ’ ઉજવણી ભાવનગર જિલ્લામાં વનવિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા ઉત્સાહ સાથે થશે.
સિંહ દિવસ સંદર્ભે ભાવનગરમાં યોજાયેલ બેઠક યોજાઈ ગઈ, જેમાં નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈએ વિગતો આપતાં જણાવ્યું કે, સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી થઈ રહી છે. તેઓએ વન વિભાગ અને સૌના સંકલન સહયોગ સાથે સફળતાથી પણ એક ડગલું આગળ વધી આયોજન માટે અનુરોધ કર્યો.
આ બેઠકમાં શેત્રુંજી વન્ય પ્રાણી વિભાગ પાલિતાણાનાં નાયબ વન સંરક્ષક ધનંજય સાધુ દ્વારા પણ સંકલન માર્ગદર્શન અપાયું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરનાં શાસનાધિકારી મૂંજાલ બડમલિયા, સિંહ દિવસ જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર અને પર્યાવરણવિદ્દ ઈન્દ્રભાઈ ગઢવી દ્વારા પ્રાસંગિક આયોજન વાતો થઈ.
ભાવનગર વન વિભાગનાં દિગ્વિજયસિંહ સરવૈયાનાં સંચાલન સાથે અહીંયા આ બેઠકમાં જિલ્લા સંયોજક રાજેશભાઈ ભાલિયા તેમજ તાલુકા સંયોજકો દ્વારા સિંહ દિવસ માટે તૈયારીઓ થઈ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel