click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે, આ ભૂમિ પર નર્મદા ડેમ બન્યો અને ત્રણ રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન વડાપ્રધાન એ પૂર્ણ કર્યું – પ્રભારી મંત્રીશ્રી ભિખૂસિંહજી પરમાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે, આ ભૂમિ પર નર્મદા ડેમ બન્યો અને ત્રણ રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન વડાપ્રધાન એ પૂર્ણ કર્યું – પ્રભારી મંત્રીશ્રી ભિખૂસિંહજી પરમાર
GujaratNarmada

નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે, આ ભૂમિ પર નર્મદા ડેમ બન્યો અને ત્રણ રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન વડાપ્રધાન એ પૂર્ણ કર્યું – પ્રભારી મંત્રીશ્રી ભિખૂસિંહજી પરમાર

સરદાર ટાઉનહોલ ખાતે રૂપિયા 40.30 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યા

Last updated: 2024/10/15 at 11:54 એ એમ (AM)
One India News Team
Share
6 Min Read
SHARE

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રભારી મંત્રી ના હસ્તે નર્મદા જિલ્લાના નાગરિકોને રૂપિયા 40.30 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે વિકાસ કાર્યક્રમ થકી જિલ્લાના 40.30 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરી જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું કે, નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે. રાજપીપલાની ભૂમિ પર સરદાર સરોવર નર્મદા ડેમ બન્યો તેને પૂર્ણ કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ લીધાના માત્ર 17 દિવસમાં જ ડેમના દરવાજા બેસાડવા માટેની મંજૂરી આપી માત્ર આપણું જ નહીં પણ ત્રણ રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન પૂર્ણ કર્યું. આ ડેમની કામગીરી પૂર્ણ થતાં કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી લીલીછમ બની. કચ્છના રણને કોઈ ગણતું નહોતું આજે રણ વિસ્તારમાં અનેક લીલીછમ વાડીઓ બની જેના થકી કચ્છની કેરી અને ખારેક દુનિયાભરમાં વખણાય છે અને ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે.

વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, નર્મદા જિલ્લામાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા બની છે. આપણી ગુજરાત વિધાનસભામાં પણ 182 ધારાસભ્યો છે ત્યારે આ અનોખા મેસેજ સાથે મૂર્તિ નિર્માણ પામેલી આ પ્રતિમાના કારણે સ્થાનિક આદિવાસી સમાજના લોકોનો ખૂબ વિકાસ થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હજી પણ ઘણા પ્રકલ્પો નિર્માણ થવાના છે ત્યારે યુવાનોને રોજગારી પુરી પાડવામાં, મહિલાઓને ઘર આંગણે રોજગારી આપવા માટે એકતાનગર ઉત્તમ ઉદાહરણના રૂપમાં રાજ્ય અને દેશ સમક્ષ પ્રસ્થાપિત થવાનું છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, ગંદકીમાં રોગોનું મૂળ રહેલું છે ત્યારે વડાપ્રધાનશ્રીએ આપણને સ્વચ્છતા અભિયાનનો મંત્ર આપ્યો અને સમગ્ર દેશ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાઈ રહ્યા છે. શુદ્ધ હવા મળી રહે તે માટે પર્યાવરણની જાળવણી માટે એક પેડ માં કે નામ અભિયાન પણ વડાપ્રધાન એ આપ્યું છે. જેમાં લોકો સ્વયંભૂ જોડાઈને આ અભિયાનને સાર્થક કરી રહ્યા છે. વિશ્વના અનેક દેશો આજે યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ભારત દેશ પાસેથી યુદ્દના સમાધાનની વિશ્વના દેશો અપેક્ષા રાખી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બન્યું છે ત્યારે હજી પણ દેશની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા સાથે ભારત દેશ વિશ્વ ગુરૂ બનવા જઈ રહ્યો છે. તેમાં એક નાગરિક તરીકે આપણે સૌએ પણ પોતાની જવાબદારી ફરજો અદા કરી માનવ મૂલ્યોને સાથે લઈને દેશની પ્રગતિમાં ફાળો આપવા સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર જનસુખાકારીના વિકાસ કાર્યો માટે સતત પ્રયત્નશીલ છે. નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લામાં સમાવેશ કરી વિકાસની મુખ્ય ધારામાં લઈ જવા માટે વધારાની ગ્રાન્ટ ફાળવી અનેકવિધ કાર્યો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેર જેવી સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ થાય તે માટેની અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. આદિવાસી વિસ્તારના બાળકોને ઉચ્ચ ગુણવત્તા સાથેનું શિક્ષણ મળી રહે તેના માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ શૈક્ષણિક સંસ્થાઓમાં નવા બિલ્ડીંગ ઊભા કરી તેમાં અદ્યતન શિક્ષણ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. વિકાસની પરિભાષામાં શિક્ષણથી સમૃદ્ધિ અત્યંત મહત્વનું પાસું છે. માત્ર એટલું જ નહીં પણ યુવાનોને રોજગારી મળી રહે તેના માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હર હાથ કો કામનું સૂત્ર આપણને આપ્યું છે. માટે આપણે સૌએ સાથે મળી જિલ્લાના વિકાસ સાથે રાજ્ય-દેશના વિકાસમાં ઉત્સાહભેર સહભાગી બનવા સૌને આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પણ કાર્યક્રમને અનુરૂપ ચાવીરૂપ મનનીય પ્રવચન કરી નર્મદા જિલ્લાના વિકાસની વાત ઉપસ્થિત લોકો સમક્ષ મૂકી હતી. અને સરકારે કરેલા કાર્યોની સરાહના કરી હતી.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યેજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભિખૂસિંહજી પરમારના હસ્તે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા તૈયાર થયેલા કુલ ૨૩ ક્લાસરૂમ, રૂપિયા ૮૫ લાખના ખર્ચે નિર્માણ પામેલા બીઆરસી ભવન, આંગણવાડીના બાળકો માટે રૂપિયા ૫૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા ત્રણ આંગણવાડીના મકાનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નાગરિકોને પીવાના શુદ્ધ પાણી મળી રહે તે માટે ગરુડેશ્વર તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં પીવાના પાણી માટે નર્મદા સોર્સ ભાગ-૨ જુથ પાણી પુરવઠા યોજનાના એક્ષટેન્શન, ગરૂડેશ્વર તાલુકાની રચના બાદ મહેસુલી વિભાગનાં અધિકારી-કર્મચારીઓનાં રહેણાંક માટે રૂપિયા ૩.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા મહેસુલી સ્ટાફ ક્વાર્ટર્સનું રિમોટ કન્ટ્રોલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં છેવાડાના માનવી સુધી માળખાગત સુવિધાઓ સરળતાથી પહોંચી શકે તેવા અભિગમના ભાગરૂપે રોડ-રસ્તાના રિસરફેસિંગ માટે રૂપિયા ૨૯ કરોડ ઉપરાંતના ચાર માર્ગોના મજબુતીકરણની કામગીરી અને રૂપિયા ૮૩ લાખના ખર્ચે નિર્માણ પામનારી પાંચ નવી આંગણવાડી કેન્દ્રોના મકાનોનું આ પ્રસંગે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ શાબ્દિક પ્રવસન કરીને સૌને આવકારી આનંદની લાગણી સાથે જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન કરેલા કાર્યોની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આભાર વ્યક્ત કર્યો હતો.

રાજપીપલા નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, નાંદોદ તાલુકાના પ્રમુખ વનીતાબેન સુનિલભાઈ વસાવા આરોગ્ય સમિતિ ચેરમેન રશ્મિકા બેન વસાવા ગરૂડેશ્વરના તાલુકા પંચાયતના પ્રમુખ ઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારી ઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી ઓ- કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

You Might Also Like

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ

TAGGED: "Development Week", Citizens of Narmada District, Civil Supply, Narmada, Narmada Collector, Narmada District, Narmada news, Shri Bhikhoosinhji Parmar, Social justice, નર્મદા જિલ્લાના નાગરિકો, વિકાસ સપ્તાહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
Next Article AIનો વધી રહેલો ઉપયોગ નાણાંકીય સ્થિરતા સામે જોખમી પુરવાર થશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025
Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ
Gujarat મે 16, 2025
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?