અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રવિવારથી રામેશ્વરબાપુ હરિયાણી રામકથા રસપાન કરાવશે. રાધા મોહન કુંજ, જાનકી ઘાટ, અયોધ્યામાં આ આયોજન થયેલ છે.
રવિવાર તા.૧-૬-૨૦૨૫થી શનિવાર તા.૯-૬-૨૦૨૫ દરમિયાન માનસરોવર સંસ્થા દ્વારા રામેશ્વર બાપુ હરિયાણીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવિક શ્રોતાઓ ભાવ અને ઉત્સાહ સાથે જોડાયાં છે, જેઓને તીર્થ દર્શન સાથે કથા લાભ મળશે.