અમેરિકન શોર્ટ-સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ જે તોફાન ઊભું થયું હતું, તે હવે અંતે શાંત થયું છે. 2023માં પ્રકાશિત થયેલા આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર શેર હેરાફેરી, નાણાકીય અનિયમિતતાઓ અને ઑફશોર શેલ કંપનીઓ મારફતે કાળાધન ધોવાણના ગંભીર આરોપો મૂકાયા હતા. આ અહેવાલે માત્ર ભારતીય બજારોમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ભારે ચકચાર મચાવી હતી. અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં એક જ ઝાટકે લાખો કરોડોની મૂડી ગુમાવાની નોબત આવી હતી, જ્યારે ઘણા રોકાણકારો પણ ભારે નુકસાનના ભોગ બન્યા હતા. આર્થિક ક્ષેત્રમાં અસ્થિરતા ફેલાવનારા આ કેસ પર ભારતની મુખ્ય બજાર નિયામક સંસ્થા SEBIએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
સેબીની વિગતવાર તપાસમાં અદાણી ગ્રુપની અનેક કંપનીઓ જેવી કે અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝિસ તેમજ સંબંધિત એડિકોર્પ એન્ટરપ્રાઇઝ અને અન્ય સંસ્થાઓની નાણાકીય લેવડદેવડની સૂક્ષ્મ તપાસ કરવામાં આવી. હિંડનબર્ગે જે માઇલસ્ટોન ટ્રેડલિંક્સ (MTPL) અને રેહવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ‘કન્ડ્યુઈટ્સ’ કહીને આરોપ લગાવ્યા હતા, તેને પણ તપાસના દાયરામાં લેવામાં આવી હતી. જોકે, 18 સપ્ટેમ્બર 2025ના રોજ સેબીના પૂર્ણકાલીન સભ્ય કમલેશ સી. વાર્ષ્ણેય દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શેર હેરાફેરી, ઇન્સાઇડર ટ્રેડિંગ કે નાણાકીય અનિયમિતતાના પુરાવા મળ્યા નથી.
After an exhaustive investigation, SEBI has reaffirmed what we have always maintained, that the Hindenburg claims were baseless. Transparency and integrity have always defined the Adani Group.
We deeply feel the pain of the investors who lost money because of this fraudulent… pic.twitter.com/8YKeEYmmp5
— Gautam Adani (@gautam_adani) September 18, 2025
આ સાથે જ સેબીએ અદાણી ગ્રુપ, ગૌતમ અદાણી, રાજેશ અદાણી તેમજ અદાણી પોર્ટ્સ અને એડિકોર્પ જેવી કંપનીઓ સામેની તમામ કાર્યવાહી બંધ કરી દીધી છે. આ નિર્ણય અદાણી ગ્રુપ માટે મોટી રાહતરૂપ સાબિત થયો છે અને બજારમાં રોકાણકારોના વિશ્વાસને પુનઃસ્થાપિત કરવાનો માર્ગ ખોલ્યો છે.
ગૌતમ અદાણીએ આ નિર્ણયને લઈને જાહેર પ્રતિભાવ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે “સત્યમેવ જયતે”—સત્ય હંમેશા જીતે છે. તેમણે જણાવ્યું કે અદાણી ગ્રુપની ઓળખ હંમેશા પારદર્શિતા અને પ્રામાણિકતાની રહી છે અને હિંડનબર્ગના ખોટા રિપોર્ટને કારણે નિર્દોષ રોકાણકારોને જે નુકસાન થયું તે માટે તેમને દુઃખ છે. અદાણીએ સાથે જ જણાવ્યું કે ખોટા આરોપો ફેલાવનારા તત્વોએ માત્ર તેમના ગ્રુપને જ નહીં, પરંતુ ભારતની આર્થિક પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું છે અને તેમને રાષ્ટ્ર પાસે માફી માગવી જોઈએ.
આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે હિંડનબર્ગના આક્ષેપો વ્યાપારિક હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. સેબીના આદેશે માત્ર અદાણી ગ્રુપને નિર્દોષ સાબિત નથી કર્યું, પરંતુ ભારતની નાણાકીય નિયમન વ્યવસ્થાની વિશ્વસનીયતાને પણ મજબૂત બનાવી છે. હવે રોકાણકારો વચ્ચે ફરી વિશ્વાસ પેદા થવાની સંભાવના છે, જ્યારે અદાણી ગ્રુપ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રમાં પોતાની ભૂમિકા વધુ મજબૂતીથી આગળ વધારી શકે છે.
નોંધનીય છે કે હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો થયો હતો, જેને કારણે ભારતીય મૂડીબજારમાં અનિશ્ચિતતા ફેલાઈ હતી. પરંતુ સેબીના અંતિમ નિર્ણય પછી હવે આ કેસ પૂર્ણપણે બંધ થયો છે અને અદાણી ગ્રુપ માટે આ એક ઐતિહાસિક જીત ગણાઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel