click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી પરત લાવવાની પણ માંગ: રાજધાની કાઠમંડુમાં પ્રદર્શન બાદ સેના હાઇએલર્ટ પર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી પરત લાવવાની પણ માંગ: રાજધાની કાઠમંડુમાં પ્રદર્શન બાદ સેના હાઇએલર્ટ પર
Gujarat

નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી પરત લાવવાની પણ માંગ: રાજધાની કાઠમંડુમાં પ્રદર્શન બાદ સેના હાઇએલર્ટ પર

નેપાળની રાજધાની કાઠમંડુમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ માંગ કરી હતી કે નેપાળમાં રાજાશાહીની પુનઃ સ્થાપના થાય અને નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે. એવું કહેવાય રહ્યું છે કે, ચીનના હસ્તક્ષેપના કારણે લોકો આવી માંગ કરી રહ્યા છે.

Last updated: 2023/11/25 at 5:02 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પાડોશી દેશ નેપાળ હિંદુવાદી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ત્યાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. વર્ષ 2008 સુધી ત્યાં રાજાશાહી હતી જે બાદ લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી. નેપાળમાં મોટી સંખ્યામાં હિંદુ સમુદાયો રહે છે અને લાંબા સમયથી નેપાળ હિંદુ રાષ્ટ્રનું બિરુદ ભોગવતું રહ્યું છે. જોકે, હાલ તે હિંદુ રાષ્ટ્ર નથી. પરંતુ હવે નેપાળના લોકોએ ફરીવાર હિંદુ રાષ્ટ્રની માંગ કરી છે અને રસ્તા પર ઉતરી આવ્યા છે. સાથે જ ત્યાંનાં લોકોએ નેપાળમાં ફરી રાજાશાહી સ્થાપવાની પણ માંગ કરી છે.

Contents
મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ખડકી દેવાયાપ્રદર્શનકારીઓએ રાજાશાહી સ્થાપવાની કરી માંગ2008માં રાજાશાહીનો અંત આવ્યો હતો

ગુરુવારે (23 ઓગસ્ટ) નેપાળની રાજધાની કાઠમંડુમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ માંગ કરી હતી કે નેપાળમાં રાજાશાહીની પુનઃ સ્થાપના થાય અને નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે. એવું કહેવાય રહ્યું છે કે, ચીનના હસ્તક્ષેપના કારણે લોકો આવી માંગ કરી રહ્યા છે. આરોપ છે કે ચીન એકપણ સરકારને સત્તામાં નથી ટકવા દેતું. જેને લઈને નેપાળના લોકોએ હિંદુ રાષ્ટ્રની માંગ કરી હતી અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોના હાથમાં નેપાળનો રાષ્ટ્રધ્વજ પણ જોવા મળી રહ્યો હતો.

મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ખડકી દેવાયા

નેપાળની રાજધાની કાઠમંડુમાં લોકોના પ્રદર્શનના કારણે હિંસા ફાટી નીકળી હતી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ દરમિયાન ઘટનાની ગંભીરતા જોતાં નેપાળ સરકારે સેનાને પણ એલર્ટ મોડમાં રાખી હતી. રાજાશાહી તરફી વિરોધનું નેતૃત્વ દુર્ગા પરસાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નેપાળના ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે પરંતુ તેનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. આ પ્રદર્શનમાં રાજાશાહી સમર્થક અને ઓલી સમર્થક વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું.

પ્રદર્શનકારીઓએ રાજાશાહી સ્થાપવાની કરી માંગ

પ્રદર્શનકારીઓએ નેપાળની સરકાર અને અન્ય રાજકીય પક્ષો પર ભ્રષ્ટાચાર અને શાસનની નિષ્ફળતાનો આરોપ મૂક્યો હતો. આ લોકોની રાજાશાહી સ્થાપવાની માંગણી પાછળનો ઈરાદો વિરોધ પ્રદર્શનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ ઉપરાંત સમગ્ર નેપાળમાંથી રાજધાની કાઠમંડુ આવેલા લોકોએ નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર બનાવવાની જોરદાર માંગ કરી છે. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

2008માં રાજાશાહીનો અંત આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે નેપાળ ઘણા લાંબા સમય સુધી રાજાશાહી શાસન ધરાવતો દેશ હતો. વર્ષ 2008 સુધી નેપાળ પર રાજા જ્ઞાનેન્દ્રનું શાસન હતું. પરંતુ 2006થી લોકોના વિરોધ પ્રદર્શન અને બળવાને કારણે વર્ષ 2008માં નેપાળને રાજાશાહીમાંથી મુક્ત કરીને ગણતંત્ર બનાવવામાં આવ્યું હતું. જે બાદ ફરી રાજાશાહી સ્થાપવા માટે લોકો હવે રસ્તા પર ઉતર્યા છે. રાજા જ્ઞાનેન્દ્રના સમર્થકો દેશભરમાંથી નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા હતા અને રાજાશાહીને પરત લાવવાની માંગ કરી રહ્યા હતા. હિંદુ રાષ્ટ્રની માંગને લઈને લોકોમાં એટલો રોષ વ્યાપેલો હતો કે પોલીસે ભીડને કાબુમાં લેવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.

You Might Also Like

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા

વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી

નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી

મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા

TAGGED: breakingnews, china, entertainment news, Hindu nation, internationalnews, Kathmandu, localnewsinindia, Ministry of Home Affairs of, Nepal, nepal government, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Politics, topnewschannelinhindi, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 25, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 22 દિવસ પછી પણ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો કોઈ પત્તો નહીં, આગોતરા જામીન થઈ ચૂક્યા છે રદ: પત્નીની જામીન અરજી પર 28મીએ સુનાવણી કરશે હાઇકોર્ટ
Next Article ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં અયોધ્યા, રામલલાના દર્શન કરી ભવનનું નિરીક્ષણ કર્યુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
Gujarat મે 16, 2025
વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી
Gujarat Vadodara મે 16, 2025
નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
મે 16, 2025
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે
Bhavnagar Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?