હરિયાણાના નૂંહ જિલ્લામાં બ્રજમંડલ જળાભિષેક યાત્રાને લઈને આ વર્ષે સરકાર અને સુરક્ષા દળોએ વીશિષ્ટ પગલાં લીધાં છે. 2023માં બનેલી હિંસક ઘટનાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે ખાસ એહિતિયાતના પગલે સમગ્ર નૂંહ જિલ્લામાં યાત્રા પૂર્વે 24 કલાક માટે સ્કૂલ-કોલેજો બંધ કરાવ્યા છે અને ઈન્ટરનેટ સેવા તથા SMS સર્વિસ પણ સ્થગિત કરી દેવાઈ છે. સ્થાનિક પ્રશાસને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના અણધાર્યા ભય અથવા અફવા ન ફેલાય એ માટે સંપૂર્ણ રીતે કડક પગલાં લીધાં છે.
યાત્રાની સુરક્ષા માટે સરકાર દ્વારા 2500થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં 14 DSPના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો કામગીરી કરશે. તેમજ યાત્રા માર્ગ અને નૂંહ વિસ્તારમાં કુલ 28 ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે. હવામાન, ટેકનોલોજી અને ભીડ નિયંત્રણ માટે ડ્રોન, માઇક્રોલાઇટ, પ્લેન, ગ્લાઇડર, હોટ એર બલૂન, પતંગબાજી, ચાઇનીઝ માઇક્રોલાઇટ સહિત તમામ પ્રકારની હવાઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, આતશબાજી પર પણ રોક લગાવવામાં આવી છે.
#WATCH | Nuh, Haryana | Security tightened in Haryana's Nuh ahead of the Braj Mandal Jalabhishek Yatra. The police also inspect the hilly areas as a part of the security measures
Internet and SMS services have been suspended for 24 hours from 9 pm on July 13 to 9 pm on July 14.… pic.twitter.com/RpvzqYuOZ2
— ANI (@ANI) July 14, 2025
સુરક્ષા સાથે સંકળાયેલી વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે જેમાં નૂંહમાં ડ્રમ દ્વારા ડીઝલ એકઠું થતું જણાયું હતું. પોલીસને પેટ્રોલ પંપ પર 87 ડીઝલના ડ્રમ મળ્યા હતા જેને અનિધિકૃત રીતે ભરવામાં આવી રહ્યા હતા. પોલીસએ પેટ્રોલ પંપ મેનેજર, સેલ્સમેન અને એક અન્ય શખ્સને પૂછપરછ માટે ધરપકડ કરી છે.
આ તમામ વ્યવસ્થાઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે વર્ષ 2023માં જુલાઈ મહિનામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત જળાભિષેક યાત્રા દરમિયાન ભારે સંઘર્ષ થયો હતો. મુસ્લિમ ટોળાં દ્વારા યાત્રા પર પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા. અનેક વાહનોને આગ લગાવવામાં આવી હતી અને નલ્હડ મહાદેવ મંદિર પર પણ હુમલો થયો હતો. હિંદુ પીડિતોનું કહેવું હતું કે લગભગ 150 જેટલા ઇસ્લામી કટ્ટરપંથીઓએ શિવ મંદિર પર ધાબો બોલાવ્યો હતો અને ફાયરિંગ કર્યું હતું. મંદિરમાં ફસાયેલા યાત્રાળુઓને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે તાત્કાલિક પગલાં સ્વરૂપે 55 FIR નોંધાઈ હતી અને 141 આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા હતા.
વિસ્તારના તણાવભર્યા ઇતિહાસને ધ્યાનમાં રાખીને અને હિંદુ સંગઠનો દ્વારા યાત્રાની ફરી માગ ઉઠાવવામાં આવતાં સરકાર કોઈ પણ રીતે અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તેની દૃષ્ટિએ ચુસ્ત તૈયારી કરી રહી છે. આ વર્ષે શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન થાય અને 2023 જેવી ઘટનાની પુનરાવૃત્તિ ન થાય તે માટે દરેક સ્તરે સરકાર અને સુરક્ષા તંત્ર સજ્જ છે.