Digital Payment એટલે કે UPIનો ઉપયોગ લગભગ 46 કરોડ લોકો અને 6.5 કરોડ વેપારીઓ કરે છે. સરકારે કહ્યું કે નાનામાં નાના વ્યવહારો માટે પણ ડિજિટલ ચુકવણી કરવામાં આવી રહી છે. આજે UPI ડિજિટલ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય માધ્યમ છે. તેના આવવાથી લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે. પણ આ સાથે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પર એવા સમાચાર વહેતા થયા છે કે દુકાનદારો UPI દ્વારા પેમેન્ટ મેળવવા અથવા કરવા માટે વધારાના શુલ્ક વસૂલવાની યોજના બનાવી રહ્યા છે.
હવે સરકારે પોતે જ આ અંગે સ્પષ્ટતા કરી છે. નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું છે કે સરકાર ઓનલાઈન ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ તમામ પ્રકારની અફવાઓ બંધ થવી જોઈએ.
Speculation and claims that the MDR will be charged on UPI transactions are completely false, baseless, and misleading.
Such baseless and sensation-creating speculations cause needless uncertainty, fear and suspicion among our citizens.
The Government remains fully committed…
— Ministry of Finance (@FinMinIndia) June 11, 2025
UPI પર નાણા મંત્રાલયનો રિસ્પોન્સ
નાણા મંત્રાલયે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવાહ પર ધ્યાન આઆપવું જોઈએ નહીં. અને આ સમાચાર લોકોમાં બિનજરૂરી ડર અને દહેશત ફેલાવે છે. નોંધનીય છે કે જૂન મહિનામાં વિઝા ટ્રાન્ઝેક્શન કરતાં UPI દ્વારા વધુ વ્યવહારો કરવામાં આવ્યા હતા. વર્ષ 2025 માં 1 જૂને UPI દ્વારા વ્યવહારો 64.4 કરોડ હતા અને બીજા દિવસે તે 65 કરોડને વટાવી ગયા. જોકે એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2025માં 64 કરોડ UPI વ્યવહારો કરવામાં આવ્યા હતા.
નવી UPI ચુકવણી સિસ્ટમ
પીએમ મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર બહાર પાડવામાં આવેલી એક બુકમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી વૈશ્વિક સ્તરે વિવિધ દેશો સાથે જોડાયેલી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ‘ભારતમાં ડિજિટલ ચુકવણી ક્રાંતિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. માર્ચ 2025 માં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર લગભગ 24.77 લાખ કરોડ રૂપિયાના 1,830.151 કરોડ UPI વ્યવહારો કરવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 50 ટકા નાની અથવા અત્યંત નાની ચુકવણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અંગે, પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકારે પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને શાસનમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે ટેકનોલોજી અને ડિજિટલ સાધનોનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે.