આપણે જાણીએ છીએ તેમ વૈશિ્વક સંસ્કૃતિઓમાં કોઈપણ સંસ્કૃતી પોતાના ઉત્સવો અને પરંપરાઓથી ઉજળી છે. હિંદ સનાતન ધર્મમાં પ્રજા ઉત્સવ પિ્રય છે. ઉત્સવો ધ્વારા સમાજમાં સંપ સુહ્રદભાવ.અને એકતા વધે છે. જેનાથી જીવપ્રાણી માત્રનું હિત થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશિ્રતો માટે વડતાલધામમાં હિર મંડપમાં શિક્ષાપત્રી લખી હતી. સંપ્રદાયના આશિ્રત સંતો- ભક્તોના આધ્યાતિ્મક પોષણ માટે આચાર્યપદની સ્થાપના કરવામાં આવી જેને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોઈ, તા.૩૦ ઓકટોબર થી તા.૫ નવેમ્બર સધી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દિ્વશાતાબ્દી મહોત્સવ ૫.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાનાર છે.
જેમાં ધાર્મિક સામાજીક અને સેવાકીય કાર્યક્રમો ઉજવવાનું નક્કી કર્યું છે. જેમાં રાજકીય સામાજીક સમાજ શ્રેષ્ઠીઓ તથા દેશ વિદેશથી હરિભક્તો પધારનાર છે. આ પ્રસંગે શિક્ષાપત્રીના સર્વહિતકારી સંદેશાને શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથના માધ્યમે સ.ગુ. જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ) તથા આદર્શ આચાર્ય પરંપરાનો મહિમાનું શ્રવણ આચાર્યોદય ગ્રંથના માધ્યમથી સ.ગુ.નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધારધામ) વ્યાસાસને બિરાજી કથામૃતનું રસપાન કરાવશે. વિશેષમાં વિદવાન સંતો ધ્વારા વ્યાખ્યાનમાળા તથા આશીર્વચનનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રીતો માટે આજથી બસો વર્ષ પૂર્વે| વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ હરિમંડપ ખાતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. જેમાં આચાર્ય, સંતો, પાર્ષદો, ગૃહસ્થ તથા સ્ત્રીઓના વિશેષ નિયમો લખ્યા છે.પોતાના સત્સંગીઓ માટે ૨૧૨| શ્ર્લર્લોોક સાથેની આચારસંહિતા સમાન શિક્ષાપત્રીનું જે કોઈ પાલન કરશે તે આલોક અને પરલોકમાં| સિખિયા થશે. આ શિક્ષાપત્રી લખ્યાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય, વડતાલ ગાદીના સંતો-ભક્તો તેમજ| મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીના સહિયારા પ્રયાસ ધ્વારા દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel