click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: CAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન: ગૃહમંત્રી શાહ પણ હાજર રહેશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > CAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન: ગૃહમંત્રી શાહ પણ હાજર રહેશે
Gujarat

CAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન: ગૃહમંત્રી શાહ પણ હાજર રહેશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે કામ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 151 નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરશે. ગુજરાત સરકાર 151 CAA સર્ટિફિકેટ એનાયત કરવા માટે 18 ઑગસ્ટના રોજ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

Last updated: 2024/08/17 at 6:12 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

મોદી સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત ગુજરાત સરકારે 151 વ્યક્તિઓને નાગરિકતા (Citizenship) આપવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એલાન કર્યું હતું. જે અનુસાર, પાડોશી દેશોમાંથી પ્રતાડિત થઈને શરણ લેવા માટે ભારત આવેલા તે દેશોના લઘુમતીઓને નાગરિકતા પ્રદાન કરવામાં આવશે. આ માટે વિશેષ સમારોહ આયોજિત કરવામાં આવશે, જેના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વિશેષ હાજરી આપશે અને સ્વહસ્તે નવી નાગરિકતા મેળવેલા લોકોને પ્રમાણપત્રો એનાયત કરશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે કામ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 151 નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરશે. ગુજરાત સરકાર 151 CAA સર્ટિફિકેટ એનાયત કરવા માટે 18 ઑગસ્ટના રોજ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

In line with the vision of Hon’ble Prime Minister Shri @narendramodi ji,Union Home Minister Shri @AmitShah to Hand Over 151 Citizenship Certificates in Gujarat.

The Government of
Gujarat will organize a special ceremony on 18th August 2024 for the distribution of 151…

— Harsh Sanghavi (@sanghaviharsh) August 16, 2024

નોંધવું જોઈએ કે, ગુજરાતના અમુક જિલ્લાઓ જ્યાં પાડોશી દેશોમાંથી આવતા શરણાર્થીઓ રહે છે, ત્યાં યોગ્ય પ્રક્રિયા બાદ નાગરિકતા આપવા માટેની વ્યવસ્થા છે જ અને આ પહેલાં પણ અમદાવાદ, કચ્છ વગેરે જિલ્લાઓમાં પાકિસ્તાન, બાંગ્લાદેશના હિંદુઓ સહિતના લઘુમતીઓને નાગરિકતા પ્રદાન કરવામાં આવતી રહી છે. પરંતુ તે ભારતના કાયદા અનુસાર 14 વર્ષ બાદ મળે છે. જ્યારે CAAમાં આ નિયમોમાં થોડી ઢીલ મૂકવામાં આવી છે. CAA અંતર્ગત પહેલી વખત ગુજરાતમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકોને નાગરિકતા આપવામાં આવશે.

2019માં બન્યો હતો કાયદો, માર્ચ 2024માં લાગુ થયો

CAA વર્ષ ડિસેમ્બર, 2019માં સંસદનાં બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગતિ અને કાયદો બન્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિ ભવનના ગેઝેટ અનુસાર, ગૃહ મંત્રાલય તેને લાગુ કરવાની અધિસૂચના બહાર પાડે ત્યારબાદ તે લાગુ કરવામાં આવે છે. દરમ્યાન, દેશભરમાં આ કાયદા વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવીને પ્રદર્શનો પણ કરવામાં આવ્યાં અને મહિનાઓ સુધી દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનો ચાલ્યાં. આ જ પ્રદર્શનના નામે પછીથી રાજધાનીમાં હિંદુવિરોધી હિંસા થઈ. ત્યારબાદ કોરોના મહામારી આવવાના કારણે ગૃહ મંત્રાલય નિયમો બનાવીને અધિસૂચના બહાર પાડી શક્યું ન હતું. આખરે ગાંત માર્ચમાં ગેઝેટ નોટિફિકેશન જારી કરીને કાયદો લાગુ કરી દેવામાં આવ્યો.

આ નિયમ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ કે જૈન વ્યક્તિ, જેણે 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ કરી લીધો હોય અને જેમને પાસપોર્ટ એક્ટ, 1920ની કલમ 3(2)(C) હેઠળ અને ફોરેનર્સ એક્ટ, 1946ની જોગવાઈઓ હેઠળ બનાવવામાં આવેલ નિયમો કે આદેશોમાંથી છૂટ મળી હોય, તેઓ નાગરિકત્વ પ્રાપ્ત કરી શકશે.

ભારતમાં કોઇ પણ વિદેશી નાગરિક જો નિયમો અનુસાર પાત્રતા ધરાવતો હોય તો તેને નાગરિકતા આપવામાં આવે છે, પરંતુ તેના અમુક નિયમો છે. જેમકે, જે વ્યક્તિ નાગરિકતા માટે અરજી કરે તે અરજી કર્યા પહેલાંના 12 મહિના (1 વર્ષ)થી ભારતમાં રહેતો હોવો જોઈએ અને અરજી કર્યાના 12 મહિના પહેલાં પણ છેલ્લાં 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં રહ્યો હોવો જોઈએ. આ નિયમને સામાન્ય ભાષામાં 11+1નો નિયમ કહેવાય છે. કુલ મળીને વ્યક્તિ 12 વર્ષ ભારતમાં રહ્યો હોય અને અન્ય બીજી કેટલીક પાત્રતા ધરાવતો હોય તો તેને નિયમો અનુસાર નાગરિકતા આપવામાં આવે છે.

આ નવો કાયદો ત્રણ દેશોમાંથી પ્રતાડિત થઈને આવેલા ત્યાંના લઘુમતીઓ માટે આ નિયમ 1+5 વર્ષનો કરી દેશે. એટલે કે જે-તે વ્યક્તિ અરજી કર્યા પહેલાંના 1 વર્ષથી ભારતમાં રહેતો હોવો જોઈએ અને છેલ્લાં 14માંથી ઓછામાં ઓછાં 5 વર્ષ ભારતમાં રહ્યો હોવો જોઈએ.

You Might Also Like

જાણો કોણ છે ભારતીય મૂળના આ ચાર ચહેરા, જેઓને કેનેડાના નવા મંત્રીમંડળમાં મળી મહત્વપૂર્ણ જવાબદારી

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાનો પ્રહાર, સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..

TAGGED: @hindu, amit shah, Buddhist or Jain, CAA, Chief Minister Bhupendra Patel, Citizenship Amendment Act, harsh sanghvi, Parsi, Sikh, special ceremony, નાગરિકતા સંશોધન કાયદા, મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 17, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વરસાદમાં પલળવાથી થાય છે સ્કિનની આ પાંચ બિમારીઓ, જાણો તેનાથી બચવાના ઉપાય
Next Article કપડવંજના ડોક્ટરોની હડતાલ શનિવારે ઓપીડી ઓપરેશન સહિતની સેવાઓ બંધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

જાણો કોણ છે ભારતીય મૂળના આ ચાર ચહેરા, જેઓને કેનેડાના નવા મંત્રીમંડળમાં મળી મહત્વપૂર્ણ જવાબદારી
Gujarat મે 15, 2025
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય
Gujarat મે 15, 2025
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાનો પ્રહાર, સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
Gujarat મે 15, 2025
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?