વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી રહી છે. સીડીએસ અનિલ ચૌહાણ પણ હાજર છે. આ પહેલાં ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાન દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી કરતાં જાણીજોઇને સામાન્ય નાગરિકો અને હોસ્પિટલોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. તો બીજી તરફ બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરતાં સિયાલકોટના લૂનીમાં આતંકવાદી લોન્ચ પેડને નષ્ટ કરી દીધા છે. આ સાથે જ પાકિસ્તાની આર્મીનો એક કેમ્પ પણ નષ્ટ કરવામાં આવ્યો છે. બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. તેમણે મુનીરને ભારત સાથે તણાવ ઓછો કરવા કહ્યું છે. આ પહેલા પાકિસ્તાનની સરહદે આવેલા જમ્મુ, ફિરોઝપુર, સિરસા સહિત ભારતના 26 શહેરોમાં વિસ્ફોટ થયાના અહેવાલો હતા.
पीएम मोदी ने तीनों सशस्त्र बलों के प्रमुखों, रक्षा मंत्री, सीडीएस, एनएसए आदि के साथ उच्च स्तरीय बैठक की अध्यक्षता की।@narendramodi #narendermodi@adgpi @IAF_MCC @indiannavy #OperationSindoor #IndianArmedForces #IndiaPakistanTension @BSF_India#IndiaPakistanWar… pic.twitter.com/NTCWrOSia2
— One India News (@oneindianewscom) May 10, 2025
વાયુસેના સ્ટેશનો પર પાકિસ્તાનનો હુમલાનો પ્રયાસ
આ પ્રેસ બ્રીફિંગમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી, જનરલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર જનરલ વ્યોમિકા સિંહ સંપૂર્ણ માહિતી આપવા માટે મીડિયા સમક્ષ હાજર થયા હતાં. જેમાં સોફિયા કુરેશીએ જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાની તરફથી પશ્ચિમી વિસ્તારમાં આક્રમક સૈન્ય ગતિવિધિ શરૂ રાખવામાં આવી છે. જેમાં ભારતીય સૈન્ય માળખાને ડ્રોન, ફાઈટર જેટ અને લોન્ગ રેન્જ હથિયારો સહિતના હથિયારોથી નિશાનો બનાવવામાં આવ્યો છે. આ સિવાય LoC અને આંતરરાષ્ટ્રીય સરહદથી 26થી વધુ જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભટિન્ડા સ્ટેશનના ઉપકરણને નુકસાન થયું છે. પાકિસ્તાને રાત્રિના 1:40 વાગ્યે હાઇસ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાનની નિંદનીય હરકત
પાકિસ્તાન દ્વારા નિંદનીય રીતે શ્રીનગર, ઉધમપુર અને અવંતિપુરમાં વાયુસેના અડ્ડા પર હોસ્પિટલ અને સ્કૂલ પરિસરને નિશાનો બનાવવામાં આવ્યો. પાકિસ્તાને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની બેજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિ સામે આવી છે.
પાકિસ્તાને પેસેન્જર પ્લેનને ઢાલ બનાવ્યા
આ કાર્યવાહી દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા નુકસાનને સુનિશ્ચિત કરાયું હતું. ચિંતાનો વિષય એ છે કે, પાકિસ્તાને લાહોરથી ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરૂપયોગ કર્યો. જેથી તેઓ પોતાની ગતિવિધિને સંતાડી શકે. પાકિસ્તાની ખોટી માહિતી દ્વારા આદમપુર સ્થિત S-400 પ્રણાલી, સુરતગઢ, નગરોટાના બ્રહ્મોસબેઝ, દહેરાગિરીના તોપખાના પોઝિશન અને ચંદીગઢના ફ્રન્ટ લાઈન વિસ્ફોટકોને નષ્ટ કરવાના ખોટા દાવા સોશિયલ મીડિયા પર ફેલાવ્યા. ભારત આ તમામ ખોટા દાવાઓનું ખંડન કરે છે.
‘અમે તણાવ વધારવા નથી ઈચ્છતા’
પાકિસ્તાને LoC પર ડ્રોન હુમલા અને ભારે ગોળીબારાનો અને તોપગોળાના હુમલાના અનેક પ્રયાસ કર્યા. કુપવાડા, બારામૂલા, પૂંછ, રાજૌરી અને અખનૂર સેક્ટરમાં તોપ અને હળવા હથિયારો સાથે ભીષણ ગોળીબાર શરૂ રહ્યો. ભારતીય સેનાએ આક્રમક જવાબ આપીને પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાન સેનાના અગ્રીમ ક્ષેત્રોમાં સૈનિકોની સંખ્યા વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ દર્શાવે છે. અત્યાર સુધી તમામ દુશ્મની કાર્યવાહીનો ભારતીય સેના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સશસ્ત્ર દળ જણાવે છે કે, અમે તણાવમાં વધારો નથી ઈચ્છતા પણ શરત છે કે પાકિસ્તાન પણ આવો જ વ્યવહાર કરે.