એર ઇન્ડિયાએ તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચ (FCS) લોકિંગ મિકેનિઝમની તપાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 14 જુલાઈ 2025ના રોજ ડીજીસીએ (DGCA) દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરતા, એર ઇન્ડિયાએ જણાવ્યું કે તમામ નિરીક્ષણોમાં કોઈ ખામી મળી નથી. આ તપાસ 12 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી અને નિર્ધારિત સમયમર્યાદામાં પુરી થઈ હતી.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCAએ સમગ્ર દેશમાં કાર્યરત બોઇંગ વિમાનોના FCS સિસ્ટમની તપાસનો આદેશ આપ્યો હતો. હાલમાં મળેલા 15 પાનાના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ટેક ઑફ પછી માત્ર એક સેકન્ડમાં એન્જિનમાં ફ્યુલ પૂરું પાડતી સ્વિચ બંધ થઈ ગઈ હતી, જેના કારણે વિમાનનું સંતુલન બગડી ગયું.
Air India has completed precautionary inspections on the locking mechanism of Fuel Control Switch (FCS) on all Boeing 787 and Boeing 737 aircraft in its fleet. Read more here:https://t.co/o42N9sMzFD
— Air India (@airindia) July 22, 2025
આ દુર્ઘટના 12 જૂનના રોજ અમદાવાદમાં બની હતી. એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI-171 બપોરે 1:38 વાગ્યે ઊડી હતી અને માત્ર બે મિનિટમાં જ 1:40 વાગ્યે BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ ઇમારત સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 241 મુસાફરોમાંથી 240 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એકમાત્ર મુસાફર બચી ગયો હતો. ઉપરાંત ઇમારતમાં હાજર અને આસપાસના 19 લોકો પણ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.