જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો.
ભાવનગર જિલ્લાનાં કુંભણ ગામે સ્વર્ગસ્થ જડીબેન વિઠ્ઠલભાઈ વાઘાણી વિદ્યાલયમાં કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ મુક્તાનંદજી બાપુનાં અધ્યક્ષસ્થાને ગત રવિવારે યોજાઈ ગયો.
જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા યોજાયેલ આ સમારોહમાં આશિર્વચન પાઠવતાં મુક્તાનંદજી બાપુએ મૂલ્યોની વાત કરી જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા રાજીપો વ્યક્ત કર્યો.
આ સમારોહમાં કન્યા છાત્રાલય નૂતન ભવન લોકાર્પણ કરતાં રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન તથા મહિલા અગ્રણી જેનીબેન ઠુંમર સાથે મહેમાન રહેલાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ભિખાભાઈ બારૈયા, અગ્રણી પ્રવિણભાઈ રાઠોડ અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનાં વિશાલભાઈ ભાદાણી દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ આ શૈક્ષણિક સુવિધાને અને દાતાઓને બિરદાવી લાભ લેવા અનુરોધ કરેલ. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ મિહિરભાઈ બારૈયા તથા મનીષભાઈ ઠાકરની ઉપસ્થિતિ રહી હતી.
સંસ્થાનાં પ્રમુખ નાનુભાઈ વાઘાણીએ ગ્રામ્યવિસ્તારમાં કેળવણી માટેનાં પોતાનાં અભિગમ સંદર્ભે ઉલ્લેખ કરી દાતા સહયોગીઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારોહ પ્રસંગે આચાર્ય પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા આવકાર ઉદ્બોધન થયેલ. મહાશંકરભાઈ પંડ્યાનાં માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ. હિતેન્દ્રભાઈ વાઘાણીએ આભાર વિધિ કરેલ. સમગ્ર સમારોહ સંચાલનમાં જીતુભાઈ મકવાણા રહ્યાં હતાં.
આ શૈક્ષણિક સમારોહમાં આસપાસનાં પંથકનાં સામાજિક, રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel