127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, “આ દરેક ભારતીય માટે ગર્વ અને આનંદનો દિવસ છે.”
પીએમ મોદીએ જણાવ્યું કે, ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો માત્ર ધાર્મિક મહત્તા નથી ધરાવતા, પરંતુ તે ભારતના પ્રાચીન જ્ઞાન, શાંતિ અને કરુણાના સંદેશ સાથે ઊંડું જોડાણ દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, “આ પવિત્ર અવશેષો આપણા સમૃદ્ધ ઇતિહાસ અને ગૌરવશાળી સંસ્કૃતિના એક મહત્વપૂર્ણ ભાગરૂપે છે, અને તેનો સ્વદેશ પરત આવવો એ આપણા સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને જતન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”
It may be recalled that the Piprahwa relics were discovered in 1898 but were taken away from India during the colonial period. When they appeared in an international auction earlier this year, we worked to ensure they returned home. I appreciate all those who have been involved…
— Narendra Modi (@narendramodi) July 30, 2025
આ અવશેષોની શોધ 1898માં થઈ હતી, પરંતુ બ્રિટીશ શાસન દરમિયાન તેને વિદેશ લઈ જવામાં આવ્યા હતા. 2025માં એક આંતરરાષ્ટ્રીય હરાજી દરમિયાન ભારત સરકારે સક્રિય રીતે ભાગ લઈ આ અવશેષોને પરત લાવવાનો પ્રયાસ શરૂ કર્યો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “સરકારના પ્રયાસોથી આ પવિત્ર અવશેષોને ફરી ભારત લાવવામાં સફળતા મળી છે.”
આ સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપનાર તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “આવો પ્રયત્ન માત્ર ઈતિહાસિક વસ્તુઓ પરત લાવવાનો નહિ, પણ સંસ્કૃતિ અને આત્મસન્માનના પુનઃસ્થાપનનો સંકેત છે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel