નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્ધાલય પાસે ગીતેશકુમાર રમેશચંદ્ર કંસારા ઉ.વ.૬૧ રહે છે. ગત તા.૧૧ના રોજ તેઓ બાઈકનં.જીજે-૭ સીક્યુ-૧૮૯૮ કિ.રુ. ૨૫ હજારનું લઈ પોતાના કારખાને ગયા હતા. અને ત્યાંથી બપોરે જમવા ઘરે આવ્યા હતા. તેમણે ઘરની દિવાલ પાસે બાઈક મુક્યુ હતું જે કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ ગયો હતો. જે અંગે તેમણે રવિવારે સાંજે નડિયાદ શહેર પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.