દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસની દિશા હવે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ છે, જ્યાં યુપી એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમોએ તાબડતોબ તપાસ શરૂ કરી છે. બંને એજન્સીઓની ટીમોએ બુધવારે ફરીદાબાદ સ્થિત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોની પૂછપરછ શરૂ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ અધિકારીઓ યુનિવર્સિટીના લેબ્સ, વિદ્યાર્થીઓના રેકોર્ડ અને કેટલાક શિક્ષકોની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે.
Delhi Blast | Al-Falah University VC Prof. Dr Bhupinder Kaur Anand releases a statement.
The statement reads, "We are anguished by the unfortunate developments that took place and condemn the same… We have also learnt that two of our doctors have been detained by the… pic.twitter.com/3lScwQRpim
— ANI (@ANI) November 12, 2025
આ દરમ્યાન અલ-ફલાહ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ. ભૂપિંદર કૌર આનંદે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને યુનિવર્સિટીને આરોપીઓથી સંપૂર્ણપણે અલગ ગણાવી છે. તેમણે કહ્યું કે, “અમે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ વ્યથિત છીએ અને તેની કડક નિંદા કરીએ છીએ. અલ-ફલાહ યુનિવર્સિટીને દિલ્હી વિસ્ફોટ કેસમાં અટકાયત કરાયેલા ડૉક્ટરો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે કેમ્પસની કોઈપણ લેબમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, રસાયણો અથવા વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ થતો નથી. “અમારી લેબ્સ માત્ર MBBS અને સંબંધિત તાલીમ માટે છે, જ્યાં તમામ પ્રવૃત્તિઓ નિયમનકારી, સલામતી અને નૈતિક ધોરણો હેઠળ જ હાથ ધરવામાં આવે છે,” એમ તેમણે ઉમેર્યું.
#WATCH | Haryana: Visuals outside Al-Falah University in Faridabad's Dhouj where arrested doctor Muzammil used to teach.
360 kg of possible ammonium nitrate, assault rifle and other ammunition were recovered by J&K Police during investigation in Faridabad. Doctor Muzammil… pic.twitter.com/976jAfZJYV
— ANI (@ANI) November 10, 2025
પ્રોફેસર આનંદે કેટલાક મીડિયા રિપોર્ટ્સને “ભ્રામક અને બદનક્ષીભર્યા” ગણાવીને કહ્યું કે આવા અહેવાલો યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે યુનિવર્સિટી 2014થી માન્ય ખાનગી સંસ્થા તરીકે કાર્યરત છે અને 2019થી તેની મેડિકલ કોલેજમાં MBBS તાલીમ શરૂ થઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે તપાસ એજન્સીઓએ યુનિવર્સિટી સાથે સંકળાયેલા બે ડોકટરોની અટકાયત કરી છે, પરંતુ આ વ્યક્તિઓની પ્રવૃત્તિઓ યુનિવર્સિટીની સત્તાવાર ફરજોથી બહારની છે. “યુનિવર્સિટી અથવા તેના પ્રશાસનને તેમના વ્યક્તિગત વર્તન અથવા કૃત્યો માટે જવાબદાર ઠેરવવું યોગ્ય નથી,” એમ આનંદે સ્પષ્ટ કર્યું.
યુનિવર્સિટીએ અંતમાં જણાવ્યું કે તે તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહકાર આપી રહી છે અને સમાજમાં ગેરસમજ ફેલાવે એવા અપ્રમાણિત સમાચાર ન ફેલાવવા માટે મીડિયા અને જનતાને અપીલ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel