ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા ‘શાળા પ્રવેશોત્સવ’નો 2025નો કાર્યક્રમ આજે 26 જૂનથી મહીસાગર જિલ્લાના કડાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભવ્ય શુભારંભ સાથે શરૂ થયો છે. રાજ્યવ્યાપી આ કાર્યક્રમ અંતર્ગત આવતા ત્રણ દિવસ—26 થી 28 જૂન સુધી—સરકારી તંત્ર, શિક્ષણવિભાગ અને સ્થાનિક પ્રજાસત્તાક સંસ્થાઓના સહયોગથી બાલવાટિકાથી માંડીને પ્રાથમિક શાળાઓમાં લાખો નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કાર્યક્રમ સંબોધન દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો અને તે માટે માત્ર શહેરો નહીં, પરંતુ સૌથી છેલ્લો નાગરિક પણ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાય એ અત્યંત આવશ્યક છે.
LIVE: મહીસાગર જિલ્લાના દિવડા કોલોની, કડાણાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ ખાતેથી રાજ્યવ્યાપી ’શાળા પ્રવેશોત્સવ-2025’નો શુભારંભ. https://t.co/KcZxaciZoi
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
શાળા, શિક્ષક અને શિક્ષણ – આ ત્રિચાક્રનો સંકલન જ સમાજ અને રાષ્ટ્રના વિકાસની ચાવી છે, એવી સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ એક સમયગાળામાં જે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમો શરૂ કર્યા હતા, તે આજે પણ ગુજરાતના શિક્ષણક્ષેત્રના સ્થાપિત સ્તંભ બનીને કાર્યરત છે.
આપણી સંસ્કૃતિમાં 'વિદ્યારંભ' ખૂબ મહત્ત્વનો સંસ્કાર છે. શૈક્ષણિક જીવનના પ્રથમ પગથિયાં પર ડગ માંડતા ભૂલકાઓ માટે આજનો દિવસ ખૂબ અગત્યનો છે.
આજે શાળા પ્રવેશ મેળવનાર સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ અને શુભકામના પાઠવું છું.
વર્ષ 2003 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ… pic.twitter.com/1e6YduRXsA
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકાઓમાં અંદાજે 8.73 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આના સહારે શિક્ષણની પાયાની સ્તરે નાનાં બાળકોએ પણ શાળા જીવનની શરૂઆત સરળતાથી કરી શકે અને રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને પહોંચ વધારી શકાય તે સરકારનો ઉદ્દેશ છે.
આવ્યો.. બાળકોના સર્વાંગીણ વિકાસનો ઉત્સવ.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી શુભારંભ અવસરે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં આંગણવાડી અને બાલવાટિકાથી લઈને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો.
આ અવસરે, બાળકોને… pic.twitter.com/xqaY8YTxV2
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
નોંધનીય છે કે વર્ષ 2002-03માં જ્યારે પ્રથમવાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ થયો હતો, ત્યારે રાજ્યમાં નેટ એનરોલ્મેન્ટ રેટ માત્ર 75.05% હતો અને ખાસ કરીને કન્યાઓના શાળામાં પ્રવેશનો દર અત્યંત નિમ્ન હતો. આ જ સંદર્ભમાં આ અભિયાન શરૂ થયું હતું. તેના ફળરૂપે માત્ર એક વર્ષમાં જ ટકાવારી 95.64% સુધી પહોંચતી જોવા મળી હતી અને આજે તે 100%નાં નજીક પહોંચી ગઈ છે, જે શિક્ષણ ક્ષેત્રે એક અદભૂત સિદ્ધિ કહેવાઈ શકે.
માનનીય મોદીજીએ શાળા, શિક્ષક અને શિક્ષણની પ્રગતિ પર ભાર મૂક્યો છે. આ ત્રણેય પાસા એકસૂત્રતા સાથે આગળ વધે ત્યારે ગામથી લઈને રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ સંભવ બને છે. #ShalaPraveshotsav2025 pic.twitter.com/sMojs3wG4H
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
આ પ્રવેશોત્સવ માત્ર શાળાનો કાર્યક્રમ નથી, તે ગુજરાતના ભવિષ્યની ભીત રચવાનો સંકલ્પ છે. સરકાર દ્વારા દરેક ગામ, દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે, બાળકે કદી શાળાના દરવાજા બહાર ન રહે – તે વિચારને કેન્દ્રમાં રાખીને આ તહેવારની જેમ ઉજવાતી પ્રવૃત્તિ ગુજરાતના વિકાસમાર્ગે શિલ્પકારનું કામ કરી રહી છે.
પીએમ શ્રી મોડેલ સ્કૂલના બાળકો સાથે વાતચીત કરી તેમના વિચારો અને અનુભવો જાણવાનો અવસર ખૂબ આનંદપૂર્ણ રહ્યો. શાળાના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ઘણો ઉત્સાહપ્રેરક છે.
આ અવસરે, સાથી મંત્રી શ્રી @kuberdindor ની સાથે શાળા પરિવાર અને વાલીઓ જોડે વાર્તાલાપ કરી તેમને શાળા અને બાળકોના વિકાસમાં… pic.twitter.com/rtF0lLv33Y
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel