બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રેશર પોલિટિક્સ હવે ઉલટ ફરી છે, કારણ કે આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે સત્તાવાર રીતે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે “ઉમેશ મકવાણા ને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ માટે પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.”
उमेश मकवाना को पार्टी विरोधी एवं गुजरात विरोधी गतिविधियों के लिए पाँच साल के लिए पार्टी से सस्पेंड किया जाता है।
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 26, 2025
આ પગલું પાર્ટી તરફથી યોગ્ય સમયે લેવામાં આવ્યું તૈનાત ફિટ જવાબ તરીકે જોવામાં આવે છે, કારણ કે માત્ર થોડા કલાક અગાઉ ઉમેશ મકવાણાએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં દંડક તરીકે પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે તેમણે એ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ધારાસભ્ય પદનો ફૈસલો હજુ કર્યો નથી અને તે અંગે તેઓ જનતાની સલાહ લઈને અને પછાત સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે.
ઉમેશ મકવાણાએ પોતાના નિવેદનમાં માત્ર ભાજપ અને કોંગ્રેસને જ નહીં પણ પોતાની પાર્ટી – આમ આદમી પાર્ટી –ને પણ કટઘરામાં ઊભી રાખી હતી. તેમણે કહ્યું હતું કે ત્રણેય મોટી રાજકીય પાર્ટીઓ માત્ર પછાત વર્ગના લોકોનો ઉપયોગ મત માટે કરે છે અને કોઈ પાર્ટી હકીકતમાં આ વર્ગના હિત માટે કાર્યરત નથી. આ પ્રકારના ખુલ્લા પ્રહારો અને પાર્ટી તરફથી દબાણ બાદ હવે પાર્ટી નેતૃત્વે તેને અસહ્ય માની કાર્યવાહી કરી છે.
#UPDATE | AAP Gujarat President Isudan Gadhvi tweets, "Umesh Makwana has been suspended from the party for five years for engaging in anti-party and anti-Gujarat activities." https://t.co/E72UfytnSB pic.twitter.com/HzEIV0iemv
— ANI (@ANI) June 26, 2025
હાલ સુધીમાં જે માત્ર ઈસુદાન ગઢવીની સોશિયલ મીડિયા પોસ્ટ છે, તેના આધારે વિધાનસભામાં પાર્ટી દ્વારા અથવા ઉચ્ચ કમાન્ડ દ્વારા કોઈ દસ્તાવેજી નોટિફિકેશન બહાર પડ્યું નથી, પરંતુ સામાન્ય રીતે પાર્ટી દ્વારા આવા પગલાં પહેલા આંતરિક મંજુરી બાદ જાહેર કરાતા હોય છે.
મકવાણાની રાજકીય ગતિવિધિઓ પરથી તે સ્પષ્ટ છે કે તેમણે AAP ઉપર દબાણ બનાવવાનું પ્રયત્ન કર્યું, કદાચ પોતાના રાજકીય ભવિષ્ય માટે નવી ભુમિકા તૈયાર કરવા માટે. પરંતુ પાર્ટીનું પ્રતિસાદ આકસ્મિક અને નિર્ધારિત રહી છે. હવે જોવાનું એ રહેશે કે મકવાણા કયા માર્ગે આગળ વધે છે — શું તેઓ અપક્ષ તરીકે કાર્ય કરશે, નવી પાર્ટી શરૂ કરશે કે અન્ય રાજકીય દળ સાથે જોડાશે.
તેમની સસ્પેન્શનની આ ઘટના, ખાસ કરીને વિસાવદર પેટાચૂંટણીમાં મળેલી જીતના માત્ર બે દિવસ પછી, આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં ભાવિ રાજકીય સંચાલન માટે પડકારરૂપ બની શકે છે. વિધાનસભામાં સંખ્યાબળ પર તો અસર થશે જ, પરંતુ પછાત વર્ગના મતદાતાઓમાં પણ મૂંઝવણ ઊભી થઈ શકે છે. AAP માટે હવે એક નવો સંઘર્ષ શરૂ થયો છે — આંતરિક એકતા જાળવી રાખવાનો અને બહાર ઉભી થતી છબી સંભાળવાનો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared