મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારમાં કોંગ્રેસના સ્થાનિક નેતા અસદ ખાન જિલાનીની ધરપકડ એક ગંભીર વિવાદને કારણે કરવામાં આવી છે. તેણે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે બહાર પાડવામાં આવેલા એક સ્મારક સિક્કા વિષે ફેસબુક પર ટિપ્પણી કરતાં ભારત માતાને ‘ડાકણ’ ગણાવી હતી અને લખ્યું હતું કે, “આ ડાકણની પૂજા રાક્ષસો કરે, જેના હાથમાં તિરંગો નથી, તે ભારત માતા નથી.” આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિરોધ ઊભો થયો હતો. વિશ્વ હિંદુ પરિષદ (VHP) સહિત અનેક હિંદુ સંગઠનો તેમજ સ્થાનિક લોકોએ જિલાની પર રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરવાનો અને સમાજમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો આરોપ મૂક્યો. વિરોધ સ્વરૂપે 2 ઑક્ટોબરે સિરોંજમાં રસ્તા રોકો પ્રદર્શન, જિલાનીનું પૂતળું દહન અને તેના ફોટાને પગથી કચડીને ‘જય શ્રીરામ’ તેમજ ‘દેશદ્રોહીઓને સજા કરો’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.
Congress leader Asad Khan Jilani from Vidisha, used the Dayan word for Bharat Mata.
MP Police gave him lesson for life. pic.twitter.com/i3n5M2YuQ8
— Lala (@Lala_The_Don) October 5, 2025
આ મામલે સ્થાનિક નિવાસી ચક્રેશ્વર દયાલ શ્રીવાસ્તવ સહિત અનેક લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સિરોંજ પોલીસએ અસદ જિલાની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 299 હેઠળ કેસ દાખલ કર્યો. ગુરુવારે સાંજે જિલાની ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે શમશાબાદ નજીકથી પોલીસે તેને ઝડપી પાડ્યો. તેની ધરપકડ બાદ પોલીસએ અસામાન્ય રીતે તેને શહેરની ગલીઓમાં ફેરવ્યો હતો, જેમાં તે કાન પકડીને “ભારત માતા કી જય”ના નારા લગાવતો દેખાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો. સિરોંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિમલેશ રાયે જણાવ્યું કે આ પગલું લોકોની ભાવનાઓ અને શાંતિ જાળવવા માટે લેવામાં આવ્યું.
શનિવારે (4 ઑક્ટોબર, 2025) કોર્ટમાં રજૂઆત દરમિયાન જિલાનીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસ તેની અગાઉની સોશિયલ મીડિયા પોસ્ટ્સની પણ તપાસ કરી રહી છે કે તેણે ભૂતકાળમાં પણ આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે કે નહીં. આ ઉપરાંત, કેટલાક સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો છે કે જિલાની અને તેનો પરિવાર દલિત પરિવારો માટે ફાળવાયેલી સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી બેઠા છે. પ્રશાસન હવે આ દિશામાં પણ તપાસ શરૂ કરી રહ્યું છે. એકંદરે, જિલાનીની ટિપ્પણી માત્ર રાજકીય વિવાદ પૂરતી સીમિત ન રહી, પરંતુ સામાજિક અને ધાર્મિક તણાવનું કારણ પણ બની છે, જેના કારણે સમગ્ર સિરોંજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પોલીસ ખાસ નજર રાખી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel