નવસારીમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. સુરતની સાથે નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા છે.
વિજલપોરના શાકમાર્કેટ તથા પોલીસચોકી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાણી ભરવાને કારણે શાકમાર્કેટ પણ બંધ રાખવામાં આવ્યું હતું. સતત વરસાદને કારણે શહેરમાં ઠેરઠેર ગટરો ઉભરાઈ જવા પામી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel