click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું
Gujarat

‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં ઇસ્લામવાદીઓના હુમલાનો ભોગ બની રહેલા હિંદુઓને બચાવવા માટે પગલાં લેવા ભારત સરકારને વિનંતી કરી હતી. બાંગ્લાદેશી હિંદુઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોઇ પણ દેશમાં અત્યાચારનો સામનો કરી રહેલા હિંદુઓનું હિંદુઓની ભૂમિ ભારતમાં સ્વાગત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

Last updated: 2024/08/21 at 4:46 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કથિત વિદ્યાર્થી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી. ત્યારે ભારતના ચાર મઠોના શંકરાચાર્યોએ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સાથે સરકારને મદદ કરવા માટે અપીલ કરીને પોતે પણ હાથ લંબાવ્યા છે. તમામ સંતોએ કહ્યું કે, તાત્કાલિક આ હુમલા બંધ થવા જોઈએ અને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવવી જોઈએ.

Contents
જ્યોતિર્મઠના શંકરાચાર્યએ સરકારને પગલાં લેવા કરી વિનંતીગોવર્ધન પીઠના શંકરાચાર્યએ હિંસાને ગણાવી ચીનનું ષડયંત્રશારદા મઠના શંકરાચાર્યે બંને દેશની સરકારોને વાતચીત કરવા કહ્યુંકાંચીના શંકરાચાર્યે કરી શાંતિ માટે પ્રાર્થના

જ્યોતિર્મઠના શંકરાચાર્યએ સરકારને પગલાં લેવા કરી વિનંતી

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં ઇસ્લામવાદીઓના હુમલાનો ભોગ બની રહેલા હિંદુઓને બચાવવા માટે પગલાં લેવા ભારત સરકારને વિનંતી કરી હતી. બાંગ્લાદેશી હિંદુઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઇ પણ દેશમાં અત્યાચારનો સામનો કરી રહેલા હિંદુઓનું હિંદુઓની ભૂમિ ભારતમાં સ્વાગત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું હતું કે “બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. બાંગ્લાદેશ સરકારે એ ન ભૂલવું જોઈએ કે હજારો બાંગ્લાદેશીઓ ભારતમાં રહે છે. અમે ભારત સરકારને બાંગલાદેશમાં પીડિત હિંદુઓને ભારતમાં જમીન અને સુરક્ષા આપવા કરવા વિનંતી કરીએ છીએ. તેમના ખોરાક અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન અમે રાખીશું, સરકાર પર તેનો કોઇ બોજ નહીં પડે.”

ગોવર્ધન પીઠના શંકરાચાર્યએ હિંસાને ગણાવી ચીનનું ષડયંત્ર

પુરી ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ સમગ્ર મામલને ચીનનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે “શાંતિ દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ આવે છે. હિંદુઓ શાંતિપ્રિય લોકો છે. જો હિંદુઓ સુરક્ષિત હશે તો દેશ સુરક્ષિત રહેશે. બાંગ્લાદેશમાં આવી હિંસા એ ચીનનું ષડયંત્ર છે. ચીનમાં મસ્જિદોનો નાશ કરવામાં આવી રહ્યો છે અને મુસ્લિમોને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હવે ચીન ભારતને અસ્થિર કરવા માટે બાંગ્લાદેશનો ઉપયોગ કરી રહ્યું છે. જો બાંગ્લાદેશ આને સમજવામાં નિષ્ફળ જશે, તો આવનારા દિવસોમાં તેનું અસ્તિત્વ ખતમ થઈ જશે.”

શારદા મઠના શંકરાચાર્યે બંને દેશની સરકારોને વાતચીત કરવા કહ્યું

આ મામલે દ્વારકામાં આવેલા શારદા મઠના શંકરાચાર્યએ પણ અવાજ ઉઠાવ્યો હતો. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશની સરકારોએ મળીને હિંદુઓની દુર્દશા અંગે ચર્ચા કરવી જોઈએ. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. છેલ્લાં 50 વર્ષથી હિંદુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે યોગ્ય નથી. તેમનો શું વાંક? શા માટે તેમને પસંદગીપૂર્વક મારવામાં આવે છે? શા માટે તેમનાં મંદિરો ધ્વસ્ત કરવામાં આવે છે? આ સમસ્યાનો ઉકેલ જલ્દીથી શોધવો જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો આ સામાન્ય બાબત બની જશે અને પછી જ્યારે-જ્યારે વિશ્વમાં ક્યાંય પણ હિંદુઓના માથે જોખમ સર્જાય ત્યારે તેમની મદદે કોઇ પણ નહીં આવે.”

કાંચીના શંકરાચાર્યે કરી શાંતિ માટે પ્રાર્થના

કાંચીના શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા બાદ બાંગ્લાદેશમાં શાંતિ અને સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના માટે પ્રાર્થના કરી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તેમણે બાંગ્લાદેશમાં શાંતિ, સલામતી અને સ્થિરતા માટે આહવાન કર્યું હતું, જેમાં હિંદુઓની નોંધપાત્ર વસ્તી અને શક્તિપીઠ ઢાકેશ્વરી મંદિર સહિત વિવિધ ઐતિહાસિક હિંદુ મંદિરોના અસ્તિત્વ પર ભાર મૂક્યો હતો.

You Might Also Like

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા

ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય

ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી

દેશના વીર જવાનોને બિરદાવવા નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

TAGGED: @india, Bangladesh, Bangladesh hindu, Four Shankaracharyas, gujarti news, international news, modi goverment, Peace in Bangladesh, pm modi, Shankaracharya Shankar Vijayendra of Kanchi, topnewschannelinindia, કાંચીના શંકરાચાર્યે, ગોવર્ધન પીઠના શંકરાચાર્ય, જ્યોતિર્મઠના શંકરાચાર્ય, શારદા મઠના શંકરાચાર્યે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 21, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બોરસદમાં ગાયનું માથું કાપીને જાહેર જગ્યાએ મુકતા સમસ્ત હિન્દૂ સમાજ આક્રોષિત
Next Article વજન ઘટાડવું છે? તો કંઇ ભૂખ્યાં રહેવાની જરૂર નથી, બસ ડાયટમાં સામેલ કરી દો આ 6 ફૂડ્સ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા
Gujarat મે 16, 2025
ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય
Gujarat મે 16, 2025
ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
Gujarat મે 16, 2025
યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”
મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?