પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સ્થાનમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. કથાના સાતમાં દિવસે રામ જન્મ પ્રસંગ સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પ્રાસંગિક જણાવ્યું કે, સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી છે.
ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ લાભ મળી રહ્યો છે. પાલિતાણા પાસે સગાપરા ધાર કૈલાસ ટેકરી સ્થાનમાં રામકથા ભજન અને પ્રસાદ ભોજનનો લાભ મોટાપ્રમાણમાં ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે.
કથાના સાતમાં દિવસે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ રામજન્મ પ્રસંગ સાથે ક્થા વર્ણન કર્યું. કથામાં પ્રાસંગિક જણાવ્યું કે, સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી છે. પાલિતાણાની ભૂમિ પરચાની નહી, પરિચયની ભૂમિ રહી છે, તેમ સ્મરણ કરી રણછોડગિરિબાપુની પ્રસંગ ક્થા વર્ણવી હતી.
રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ ગાન કરતાં મોરારિબાપુએ સંકલ્પ સિધ્ધિ માટે એકાંત, મૌન, પ્રાણબળ, મન શુધ્ધિ, દેહ શુધ્ધિ, ચિત્ત એકાગ્રતા અને અહંકાર મિટાવવા પર ચિંતન પ્રસ્તુત કર્યું.
કથામાં મોરારિબાપુએ ઉમેર્યું કે, પરચામાં માણસ આંધળો થઈ જાય, પરિચયથી નજીક જઈ શકાશે.
રામકથા વર્ણન ગાન કરતાં મોરારિબાપુએ શિવ પાર્વતી સંવાદ સાથે વક્તાના ત્રણ ગુણો લાવણ્ય, તારુણ્ય અને કારુણ્ય અનિવાર્ય સમજાવ્યા.
રામકથામાં સંતો, અગ્રણીઓ સાથે ભાવિક શ્રોતાઓ મોટા પ્રમાણમાં ઉમટી રહ્યા છે અને ક્થા શ્રવણ કરવા સાથે પ્રસાદ ગ્રહણ કરી રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel