ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થા દ્વારા શાસકીય શિક્ષણ સાથે સમાજ કેળવણીનું ભગીરથ કાર્ય થાય છે, તેમાં ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં ઘોષણા થઈ છે.
રાષ્ટ્રની રાજધાની દિલ્લીમાં રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ચાલી રહેલ છે, જેમાં મોરારિબાપુની પ્રેરણા સાથે વ્યાસપીઠ પરથી ‘રામવાડી’ કેળવણી અભિયાનની ઘોષણા થઈ છે, જેમાં મોરારિબાપુ સાથે આચાર્ય લોકેશ મુનિજી અને લોકભારતીના સંસ્થાના વડા અરુણભાઈ દવે જોડાયાં હતાં.
આ નૂતન ઉપક્રમ ‘રામ’ અર્થાત્ અહિંસા અને મૈત્રીના આધ્યાત્મિક કર્મવીરોની કેળવણી સણોસરાની લોકભારતી વિશ્વવિદ્યાલય સંસ્થા આપશે. આ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી શ્લોકને લોક સુધી એટલે કે આપણી સંસ્કાર પરંપરા દ્વારા સમાજ શિક્ષણના પાઠ છેવાડા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આ ‘રામવાડી’ અભિયાન માટે રાજીપો વ્યક્ત કરી આમાં જોડાયેલા અરુણભાઈ દવે અને વિશાલભાઈ ભાદાણી પ્રત્યે ભાવ દર્શાવી આ કરી આ અરુણોદય વિશાળ રીતે થઈ રહ્યાનું રૂપક જણાવ્યું.
ગોહિલવાડ સહિત ગુજરાતની સુપ્રસિધ્ધ સંસ્થા લોકભારતીના વડા અને લોક વૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ આ અહિંસા અને મૈત્રીના આધ્યાત્મિક કર્મવીરોની કેળવણી સંદર્ભે મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી આ અભિયાન આપણા સૌનું હોવાનું ઉમેર્યું. અહીંયા તાલીમ લેનાર કાર્યકર્તા અધ્યેતા દ્વારા રાષ્ટ્રમાં એક સો રામવાડી નિર્માણ કરવાનો સંકલ્પ રજૂ થયો.
આચાર્ય લોકેશ મુનિજી દ્વારા પ્રાસંગિક ભાવ દ્વારા વિચાર, આચાર અને સંસ્કારની વાત કરી આ ઘોષણાથી પ્રભાવિત થયા અને સહર્ષ આવકાર આપ્યો.
લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા વિશાલભાઈ ભાદાણીએ પ્રારંભે મહાત્મા ગાંધીજીથી મોરારિબાપુ સુધીનો ઉલ્લેખ કરી ‘રામ’ ( એક વર્ષ ફ્લાવર શીપ) વિશે જણાવ્યું અને લોકભારતીમાં અગાઉ મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા સ્મરણ કર્યું અને આ કેળવણી દ્વારા સમાજ સેવાકાર્ય સંદર્ભે માહિતી આપી.
રામકથા જોડાયેલ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ પણ રામ અભિયાન સંદર્ભે હરખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસ્કૃતિ સંવર્ધન હેતુ ભારતમંડપમ સ્થાન નિર્માણ થયાનું જેમાં આ ઘોષણા બિરદાવી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel