ભારતમાં મહિલા સશક્તિકરણને વધુ ગતિ આપવા માટે આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય સ્તરના ‘નારી શક્તિ વંદન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે અને દેશભરના વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ ધરાવતી મહિલાઓને સંબોધિત કરશે.
આ સંમેલનમાં શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, સ્ટાર્ટઅપ, મીડિયા અને સામાજિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓનો વિશાળ જમાવડો જોવા મળશે. સરકારના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા માટે મહિલાઓની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે, તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવશે. આ મંચ મહિલાઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર કરવામાં આવ્યો હતો, જે મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં વધુ પ્રતિનિધિત્વ આપવા માટે ઐતિહાસિક નિર્ણય ગણાય છે. આ અધિનિયમ હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ અનામતને અમલી બનાવવાના પગલાં રૂપે 16 એપ્રિલે સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે.
પ્રધાનમંત્રી મોદી આ સંમેલન દ્વારા ‘Women-led Development’ના વિચારને વધુ મજબૂત બનાવશે. કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના આર્થિક, સામાજિક અને રાજકીય સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અને પહેલો અમલમાં મૂકી રહી છે. પંચાયતથી લઈને સંસદ સુધી મહિલાઓની વધતી ભાગીદારી ભારતના લોકશાહી માળખાને વધુ મજબૂત બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel