મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ ભગવાન વિષ્ણુના ભાવિ અવતારનો ઉલ્લેખ છે. બીજી બાજુ, ઇસ્લામનો ઉદય ફક્ત 1,400 વર્ષ પહેલાં થયો હતો. હું એવી વાત કરી રહ્યો છું જે ઇસ્લામ કરતાં ઓછામાં ઓછા 2,000 વર્ષ જૂની છે. આ બાબતોના પુરાવા સદીઓથી અસ્તિત્વમાં છે.
1526માં સંભલમાં ભગવાન વિષ્ણુનું મંદિર તોડી પડાયું
સીએમ યોગીએ કહ્યું કે, 1526માં સંભલમાં ભગવાન વિષ્ણુનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, અને બે વર્ષ પછી 1528માં અયોધ્યામાં રામ મંદિર પણ તોડી પાડવામાં આવ્યું હતું. લખનૌમાં આરએસએસ સાથે જોડાયેલ સાપ્તાહિક મેગેઝિન ‘ઓર્ગેનાઇઝર’ દ્વારા આયોજિત ‘મંથન: કુંભ એન્ડ બિયોન્ડ’ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, બંને કૃત્યો એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હતા.
દુનિયાના દરેક ધર્મ અને પૂજા પદ્ધતિમાં કેટલાક સારા ગુણો હોય છે
આદિત્યનાથે કહ્યું કે, દુનિયાના દરેક ધર્મ અને પૂજા પદ્ધતિમાં કેટલાક સારા ગુણો હોય છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બળજબરીથી કોઈનો વિશ્વાસ છીનવી લેવો અને તેમની માન્યતાઓને કચડી નાખવી એ અસ્વીકાર્ય છે. ખાસ કરીને જ્યારે આપણે સંભલ વિશે સત્ય જાણીએ છીએ.
સંભલ એક ઐતિહાસિક સત્યનું પ્રતિનિધિત્વ કરે છે
આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે,’ સંભલ એક ઐતિહાસિક સત્યનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમણે હંમેશા તેના વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હું યોગી છું. હું દરેક સંપ્રદાય, સમુદાય અને પૂજા પદ્ધતિનો આદર કરું છું. જો તમે ગોરખનાથ પીઠ પર જશો તો તમને દેખાશે કે ત્યાં કોઈની સાથે ભેદભાવ નથી. બધી જાતિ, પ્રદેશ અને સંપ્રદાયના લોકો સાથે બેસીને એક જ થાળીમાંથી ભોજન કરે છે. આપણા પૂજ્ય સંતો, ભલે તેઓ કોઈપણ ધર્મના હોય, સાથે બેસીને ભોજન કરે છે અને સમાન સન્માન મેળવે છે.’
દરેક પૂજા પદ્ધતિમાં કંઈક સહજ સદ્ગુણ હોય છે
મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘એટલે જ હું કહું છું કે ઉપનિષદોમાં વ્યક્ત થયેલી ભારતની વૈદિક પરંપરાની ભાવના આપણામાં ઊંડે સુધી વણાયેલી છે. દરેક પૂજા પદ્ધતિ, પછી ભલે તે સનાતન ધર્મ સાથે સંબંધિત હોય કે વિશ્વના અન્ય કોઈ ધર્મ સાથે, તેમાં કંઈક સહજ સદ્ગુણ હોય છે, જેના કારણે ઘણા લોકો તેનું પાલન કરે છે.’
આ સાથે વિપક્ષી પક્ષો અને ટીકાકારો તરફ ઈશારો કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘આ લોકોએ પહેલા ધાર્મિક ગ્રંથો વાંચવા જોઈએ અને પછી જ તેમણે મને તેમના પર ચર્ચા કરવાનો પડકાર આપવો જોઈએ.’