અમદાવાદ : અહીં ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે ગુરુપૂર્ણિમા કાર્યકર્મ ની શુરુઆત સૂત્રસંચાલક ભરત ગોહિલ ગુરુપૂર્ણિમા નું મહત્વ બતાવી ને કરી. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા , ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ તત્ત્વ 1000 ગણું કાર્ય કરે છે. શિષ્ય તન-મન -ધન ત્યાગ કરી યથા શક્તિ જોઈએ. વ્યાસપૂજન અને ગુરૂપુજન નું મહત્વ સમજાવ્યું.
અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના ગુજરાત રાજ્ય મંત્રી ઉમેશ પ્રજાપતિ નું સમ્માન સનાતન સંસ્થાના ભરત પંચાલે કર્યું પછી તેમને પોતાનો મંતવ્ય રજૂકર્યું. તેમને કહ્યું કે, “હિન્દૂ સમાજને જાગૃત થવાની જરૂર છે, લવ જિહાદ ,લેન્ડ જિહાદ , હલાલ જિહાદ જેવા આઘાતો નો સામનો કરવા માટે આપણામાં ધર્મ ની જાગૃતિ જરૂરી છે , કુટુંબ સાથે બેસીને સંતાનોને ધર્મના પુસ્તકોનું જ્ઞાન કરવો. સનાતન સંસ્થા ધર્મ જાગૃતિનું ખુબ સારું કાર્ય કરી રહી છે.”
તદુપરાંત સનાતન સંસ્થા વતી ગીતા ધારાપે કહ્યું કે, ભારત પર આંતરિક અને બાહ્ય શત્રુઓ દ્વારા જે આક્રમણ થઈ રહ્યા છે, તે ફક્ત વિસ્તારવાદ માટે નથી, પરંતુ હિંદુ ધર્મને સમાપ્ત કરવા માટે થઈ રહ્યા છે. પહેલગામમાં આતંકવાદીઓએ ‘દેશ’ પૂછીને નહીં, પરંતુ ‘ધર્મ’ પૂછીને ગોળીઓ ચલાવી. અત્યાર સુધીના રમખાણોનો ઇતિહાસ પણ એ જ જણાવે છે કે જ્યાં જ્યાં ધર્માંધોએ આતંક મચાવ્યો, ત્યાં તેમણે હિંદુઓને, હિંદુઓના શ્રદ્ધાસ્થાનોને લક્ષ્ય બનાવ્યા. આજે આપણે યુદ્ધ જેવી સ્થિતિમાં છીએ. આ ફક્ત સીમાઓ પરની લડાઈ જેવું લાગતું હોવા છતાં, ખરું યુદ્ધ એ ધર્મયુદ્ધ જ છે.
અંતે સ્વરક્ષણ પ્રશિક્ષણનો વિડિઓ બતાવ્યું , જેથી બધા ને સ્વરક્ષણ ની તાલીમ લેવી જોઈએ તેવી પ્રેરણા થઇ. રાષ્ટ-ધર્મના રક્ષણ માટે સાધના અને આપણી રાષ્ટ્રીય ફરજ તે બોધ લઇ ગુરુપૂર્ણિમા ક્ષાત્ર તેજ અને બ્રહ્મા તેજ ના વાતાવરણ માં સંપન્ન થઇ તેમજ દેશ-વિદેશના ભાવિકો માટે ગુજરાતી ભાષામાં ઑનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું. અનેક ભાવિકોએ આનો લાભ લીધો.
આપણી નમ્ર,
એડ. રુચા સુળે
સનાતન સંસ્થા, ગુજરાત
(સંપર્ક ક્રમાંક : 9913062014)