ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા દેશની તમામ એરલાઇન્સને એક મહત્વપૂર્ણ સૂચના આપી છે, જેમાં તેમને પોતાના બોઇંગ 737 અને 787 (ડ્રીમલાઇનર) વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમનું ઇન્સ્પેક્શન ફરજિયાત રીતે 21 જુલાઈ 2025 પહેલાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ વિમાનના એન્જિનમાં ઇંધણ પુરવઠાને નિયંત્રિત કરતી અત્યંત સંવેદનશીલ વ્યવસ્થા છે. જો તેમાં ખામી ઊભી થાય તો એન્જિન અચાનક બંધ થઈ શકે છે અને ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાનું જોખમ ઊભું થાય છે.
આ નિર્ણય ખાસ કરીને તાજેતરમાં અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન સાથે થયેલી દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે. અકસ્માતની તપાસ કરતી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે દુર્ઘટનાના સમયે વિમાનના બંને એન્જિનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘રન’ સ્થિતિમાંથી અચાનક ‘કટઓફ’ સ્થિતિમાં જતા એન્જિન બંધ થઈ ગયા હતા. આ તથ્ય અકસ્માતના મુખ્ય કારણોમાંથી એક તરીકે સામે આવ્યું છે.
डीजीसीए भारत में पंजीकृत विमानों/इंजनों/घटकों के लिए डिज़ाइन/निर्माण राज्य द्वारा जारी किए गए वायुयोग्यता निर्देशों के आधार पर अनिवार्य संशोधन जारी करता है।
डीजीसीए के संज्ञान में आया है कि कई ऑपरेटरों, अंतरराष्ट्रीय और घरेलू स्तर पर, ने अपने विमान बेड़े पर 17 दिसंबर 2018 को… pic.twitter.com/6UhQxIYLrE
— One India News (@oneindianewscom) July 15, 2025
DGCAના આદેશનો સીધો અસર એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન્સ પર પડશે, જેઓના બેડામાં મોટા પ્રમાણમાં બોઇંગ 737 અને 787 વિમાનો છે. આ પગલું ICAOના સેફ્ટી ધોરણો અનુસાર ખૂબ જ મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે ભારત સિવાય Etihad અને દક્ષિણ કોરિયા જેવી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ પોતાના બોઇંગ વિમાનો માટે સમાન પ્રકારના ઇન્સ્પેક્શનના આદેશ જારી કર્યા છે, જે થી સ્પષ્ટ થાય છે કે આ સમસ્યા વૈશ્વિક સ્તરે ગંભીર રીતે જોવામાં આવી રહી છે.
આ નિર્ણય ઉડ્ડયન સુરક્ષા માટે એક આગવી પ્રાથમિકતા ધરાવે છે અને DGCA દ્વારા લેવામાં આવેલ આવું સક્રિય પગલું ભવિષ્યમાં શક્ય દુર્ઘટનાઓ અટકાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.