click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય, 2000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક મંદિર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય, 2000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક મંદિર
Gujarat

ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય, 2000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક મંદિર

આજે દેવદર્શનમાં ખેડા જીલ્લાના ઉત્કંઠેશ્વર મહાદેવ અને ઉંટડીયા મહાદેવ તરીકે ઓળખાતા મહાદેવના ભવ્ય દર્શન સાથે જાણીએ આ શિવાલયની ઉત્પતિ અને પ્રાગટ્યની શું છે ગાથા

Last updated: 2025/04/09 at 11:08 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

દેવોના દેવ મહાદેવના દરેક શિવાલયો પાછળ એક ધાર્મિક અને માર્મિક વાત જોડાયેલી છે ત્યારે….બીજે ક્યાંય જોવા ના મળે તેવુ શિવજીનું દુર્લભ સ્વરૂપ, ઉત્કંઠેશ્વર એટલે ગુજરાતના કાશી વિશ્વનાથ.. ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં વિદ્યમાન શિવલિંગ જમીનની ઉપર નહીં પણ જમીનની અંદર સ્થાપિત છે..

જાબાલિ ઋષિના તપોબળથી પ્રગટ થયેલું ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના તાલુકા મથક કપડવંજથી ૧૭ કિ.મી, ગાંધીનગર જિલ્લાના દહેગામથી ૨૨ કિ.મી દૂર, અમદાવાદથી ૫૫ કિ.મી. અને નડિયાદથી ૬૦ કિ.મી.ના અંતરે સ્ટેટ હાઈવે પર ત્રણ જિલ્લાઓની ત્રિભેટે વાત્રક નદીના કિનારે આવેલું છે. તેને સૌ ઊંટડિયા મહાદેવના નામથી ઓળખે છે.

પ્રાચીન પુરાતન ઇતિહાસ સંગ્રહી બેઠેલું ઉત્કંઠેશ્વર મહાદેવ પ્રકૃતિની વિરાટ ગોદમાં સ્થિર સમાધિસ્થ થયેલ અને લાખો શ્રદ્ધાળુ શિવભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.પુરાણકાળમાં કશ્યપગંગાને નામે અને હાલ વાત્રકને નામે ઓળખાતી પવિત્ર નદીના તટમાં બંધાયેલ આ મહાદેવનું શિખરબદ્ધ મંદિર નદીના તટમાં પ્રવેશદ્વાર ધરાવે છે અને ૧૦૮ પગથિયાંવાળું ચૂનાના મોટા પરથાર પર બાંધેલું છે.

લોકવાયકા મુજબ મહામુનિ જાબાલિ ઉત્તર ભારતના કાશીથી આ લિંગ લાવેલા અને જાબાલિ ઋષિની ઉત્કંઠાથી સ્વયં દર્શન આપેલા હોવાથી ઉત્કંઠેશ્વર કહેવાય છે. એક પૌરાણિક કથા અનુસાર મહામુનિ જાબાલિને વેત્રવતીના વેગીલા નીરના નિમંત્રણ મળતાં અહીં તેમણે ઓમકારના ઉચ્ચારો થકી મહાતપ આદર્યું. અને ઋષિની ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલા શિવલિંગ ઉત્કંઠેશ્વર મહાદેવ કહેવાયા.

વાત્રકના વહેતાં પાણી વચ્ચે દેવડુંગરી નામે નદીની વચ્ચે એક ડેરી છે. જેને લોકો જાબાલિ ઋષિની સમાધિ તરીકે ઓળખે છે. ત્યાં નાનાં બાળકોના વાળ ઉતરાવીને દર્શન કરે છે. આ સ્થળે હાલમાં પ્રાણનાથ આશ્રમ, ત્રિલોકચંદ મહારાજની સમાધિ, વાનપ્રસ્થાશ્રમ, અન્નપૂણાર્નું મંદિર, લિંબચ માતાનું મંદિર જેવાં વિવિધ પવિત્ર સ્થાનો આવેલાં છે.

કહેવાય છે કે, કોઈપણ ભક્તે ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય પણ ઉત્કંઠેશ્વર જઈ શિવજીને મસ્તક નમાવી નથી આવતો ત્યાં સુધી તેની યાત્રા અધૂરી ગણાય છે. તેવા ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલ શિવજીએ અહીં હજારો વર્ષથી પલાંઠી લગાવી છે. અહીં શિવાલયમાં શિવલિંગ સંપૂર્ણ દ્રષ્યમાન નથી, પરંતુ પાતાળમાં હોય એમ પ્રતીતિ કરાવતું આ શિવલિંગ ભૂર્ગભમાં છે. શિવાલયના પ્રવેશદ્વારે ભૈરવજીની મૂર્તિ છે. તેની સામે ગણપતિજીની અપ્રતિમ પ્રતિમા છે. શિવાલયમાં પાર્વતીજીની પ્રતિમા અલૌકિક છે…….

મંદિર વાત્રક નદીના કાંઠે આવેલું છે અને તે 2000 કરતા પણ વધુ વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે. મહાન ઋષિમુનિ કાશીથી આ શિવલિંગને લાવ્યા હતા. ઊંટના પગનાં તળિયાં જેવો દેખાવ હોવાથી તેને ઊંટડિયા મહાદેવ પણ કહેવામાં આવે છે.

ઉત્કંઠેશ્વર મહાદેવનુ મંદિર વાત્રક નદીના કાંઠે દેહગામ અને કપડવંજ હાઇવે પર આવેલું છે. મંદિર પ્રથમ દૃષ્ટિએ જ ભવ્ય વિશાળ અને આકર્ષક લાગે છે. શિવાલયની ઊંચાઈ 80થી 85 ફૂટ જેટલી છે. ખાડાની પાસે એક તરફ પિત્તળના વિશાળ મહાદેવ આગવી છટાથી ઊભા છે. યાત્રાળુઓ, પૂજારીઓ અહીં શિવજીની પૂજા-અભિષેક કરે છે. મંદિરની પાસે નીચે નદી તરફ જવા માટે અંદાજે 13થી 14 જેટલા મોટા પગથાર છે. લગભગ 125 જેટલાં પગથિયાં પાસે એક ઝરણું વહે છે. તે ‘શાલિઝરણ’ના નામે ઓળખાય છે. દર વર્ષે મહાવદી 14ના દિવસે મંદિરે ભવ્ય મેળો ભરાય છે.

સૌથી રસપ્રદ વાત તો એ છે કે ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે. કારણ કે, આ ઉત્કંઠેશ્વર જ તો મનાય છે ગુજરાતના કાશી વિશ્વનાથ અહીં શિવલિંગ પર વહાવેલી દૂધની ધારા વારાણસીમાં મણીકર્ણિકા ઘાટ સમીપે બહાર નીકળતી હોવાની કથા પણ પ્રચલિત છે

મંદિરના ગર્ભગૃહમાં એક અદભુત શિવ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. પરંતુ પ્રભુનું મૂળ શિવલિંગ રૂપ એ પેટાળમાં સ્થિત છે. ખૂબ જ નજીક જઈને નિહાળીયે ત્યારે જ પ્રભુના પૂર્ણ રૂપનો ખ્યાલ આવે છે. સોમવાર, શ્રાવણ માસ અને શિવરાત્રી જેવા અવસરો પર ઉત્કંઠેશ્વર મહાદેવના દિવ્ય રૂપના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. કહે છે કે એક ભક્તની તીવ્ર ઉત્કંઠાને વશ થઈ મહાદેવ અહીં પ્રગટ થયા. અને એટલે જ તે ઉત્કંઠેશ્વર નામે પ્રસિદ્ધ થયા.

You Might Also Like

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

ભારત-પાક. તણાવ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2025ને લઈને આપ્યું મોટું અપડેટ

સરહદ પર તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, વધુ 3 અધિકારીઓને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

TAGGED: Ancient history, Dev Darshan, Kashi Vishwanath, latest guajrti news, oneindia, oneindianews, topnews, topnewschannelinindia, UTKANTHESHVER MAHADEV, Utkantheshwar, ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર, પૌરાણિક મંદિર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article RBI રેપો રેટના નિર્ણય પહેલા જ શેરબજાર ધડામ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા
Next Article RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો,હોમલોન થશે સસ્તી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા
Gujarat મે 9, 2025
ભારત-પાક. તણાવ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2025ને લઈને આપ્યું મોટું અપડેટ
Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?